શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
બહુયુવતિજનવેષ્ટિત૧ છતાં પણ ધીર શુદ્ધમતિ અહા!
એ ભાવસાધુ શિવકુમાર ૨પરીતસંસારી થયા. ૫૧.
જિનવરકથિત ૩એકાદશાંગમયી સકલ શ્રુતજ્ઞાનને
ભણવા છતાંય અભવ્યસેન ન પ્રાપ્ત ભાવમુનિત્વને. ૫૨.
શિવભૂતિનામક ભાવશુદ્ધ મહાનુભાવ મુનિવરા
૪‘તુષમાષ’ પદને ગોખતા પામ્યા પ્રગટ સર્વજ્ઞતા. ૫૩.
નગ્નત્વ તો છે ભાવથી; શું નગ્ન ૫બાહિર-લિંગથી?
રે! નાશ કર્મસમૂહ કેરો હોય ભાવથી દ્રવ્યથી. ૫૪.
નગ્નત્વ ભાવવિહીન ભાખ્યું અકાર્ય દેવ જિનેશ્વરે,
— ઈમ જાણીને હે ધીર! નિત્યે ભાવ તું નિજ આત્મને. ૫૫.
દેહાદિસંગવિહીન છે, વર્જ્યા સકળ માનાદિ છે,
આત્મા વિષે રત આત્મ છે, તે ભાવલિંગી શ્રમણ છે. ૫૬.
પરિવર્જું છું હું મમત્વ, નિર્મમ ભાવમાં સ્થિત હું રહું;
અવલંબું છું મુજ આત્મને, અવશેષ સર્વ હું પરિહરું. ૫૭.
મુજ જ્ઞાનમાં આત્મા ખરે, દર્શન-ચરિતમાં આતમા,
પચખાણમાં આત્મા જ, સંવર-યોગમાં પણ આતમા. ૫૮.
મારો સુશાશ્વત એક દર્શનજ્ઞાનલક્ષણ જીવ છે;
બાકી બધા સંયોગલક્ષણ ભાવ મુજથી બાહ્ય છે. ૫૯.
૧.વેષ્ટિત = વિંટળાયેલા.
૨.પરીતસંસારી = પરિમિત સંસારવાળા; અલ્પસંસારી.
૩.એકાદશાંગ = અગિયાર અંગ.
૪.તુષમાષ = ફોતરાં અને અડદ.
૫.બાહિર = બાહ્ય.
૧૨૮ ]
[ શાસ્ત્ર-સ્વાધ્યાય