Shastra Swadhyay (Gujarati). YogsAr.

< Previous Page   Next Page >


Page 181 of 214
PDF/HTML Page 193 of 226

 

background image
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
શ્રી
યોગસાર
(પદ્યાનુવાદ)
(દોહરા)
નિર્મળ ધ્યાનારૂઢ થઈ, કર્મકલંક ખપાય;
થયા સિદ્ધ પરમાતમા, વંદુ તે જિનરાય. ૧.
ચાર ઘાતિયા ક્ષય કરી, લહ્યાં અનંતચતુષ્ટ;
તે જિનેશ્વર ચરણે નમી, કહું કાવ્ય સુઇષ્ટ. ૨.
ઇચ્છે છે નિજ મુક્તતા, ભવભયથી ડરી ચિત્ત;
તે ભવી જીવ સંબોધવા, દોહા રચ્યા એક ચિત્ત. ૩.
જીવ, કાળ, સંસાર આ, કહ્યા અનાદિ અનંત;
મિથ્યામતિ મોહે દુખી, કદી ન સુખ લહંત. ૪.
ચાર ગતિ દુઃખથી ડરે, તો તજ સૌ પરભાવ;
શુદ્ધાતમ ચિંતન કરી, લે શિવસુખનો લાભ. ૫.
ત્રિવિધ આત્મા જાણીને, તજ બહિરાતમ રૂપ;
થઈ તું અંતર આતમા, ધ્યા પરમાત્મ સ્વરૂપ. ૬.
મિથ્યામતિથી મોહી જન, જાણે નહિ પરમાત્મા;
તે બહિરાતમ જિન કહે, તે ભમતો સંસાર. ૭.
પરમાત્માને જાણીને, ત્યાગ કરે પરભાવ;
તે આત્મા પંડિત ખરો, પ્રગટ લહે ભવપાર. ૮.