Shastra Swadhyay (Gujarati).

< Previous Page   Next Page >


Page 180 of 214
PDF/HTML Page 192 of 226

 

background image
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
જે જ્યાં વાસ કરી રહે, ત્યાં તેની રુચિ થાય,
જે જ્યાં રમણ કરી રહે, ત્યાંથી બીજે ન જાય. ૪૩.
વિશેષોથી અજ્ઞાત રહી, નિજ રૂપમાં લીન થાય,
સર્વ વિકલ્પાતીત તે, છૂટે નહિ બંધાય. ૪૪.
પર તો પર છે દુઃખરૂપ, આત્માથી સુખ થાય;
મહાપુરુષો ઉદ્યમ કરે, આત્માર્થે મન લાય. ૪૫.
અભિનંદે અજ્ઞાની જે, પુદ્ગલને નિજ જાણ,
ચૌગતિમાં નિજ સંગને તજે ન પુદ્ગલ, માન. ૪૬.
વિરમી પર વ્યવહારથી, જે આતમરસ લીન,
પામે યોગીશ્રી અહો! પરમાનંદ નવીન. ૪૭.
કરતો અતિ આનંદથી, કર્મ-કાષ્ઠ પ્રક્ષીણ,
બાહ્ય દુખોમાં જડ સમો, યોગી ખેદ વિહીન. ૪૮.
જ્ઞાનમયી જ્યોતિર્મહા, વિભ્રમનાશક જેહ,
પૂછે, ચાહે, અનુભવે, આત્માર્થી જન તેહ. ૪૯
જીવ-પુદ્ગલ બે ભિન્ન છે, એ જ તત્ત્વનો સાર;
અન્ય કાંઈ વ્યાખ્યાન જે, તે તેનો વિસ્તાર. ૫૦.
(વસંતતિલકા)
ઇષ્ટોપદેશ મતિમાન ભણી સુરીતે,
માનાપમાન સુસહે નિજ સામ્યભાવે;
છોડી મતાગ્રહ વસે સ્વજને વને વા,
મુક્તિવધૂ નિરુપમા જ સુભવ્ય પામે. ૫૧.
✽ ✽ ✽
૧૮૦ ]
[ શાસ્ત્ર-સ્વાધ્યાય