શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
દ્રશ્યમાન દેહાદિનો, મૂઢ કરે ઉપકાર;
ત્યાગી પર-ઉપકારને, કર નિજનો ઉપકાર. ૩૨.
ગુરુ-ઉપદેશ, અભ્યાસ ને સંવેદનથી જેહ,
જાણે નિજ-પર ભેદને, વેદે શિવ-સુખ તેહ. ૩૩.
નિજ હિત અભિલાષી સ્વયં, નિજ હિત નેતા આત્મ,
નિજ હિત પ્રેરક છે સ્વયં, આત્માનો ગુરુ આત્મ. ૩૪.
મૂર્ખ ન જ્ઞાની થઈ શકે, જ્ઞાની મૂર્ખ ન થાય;
નિમિત્તમાત્ર સૌ અન્ય તો, ધર્મદ્રવ્યવત્ થાય. ૩૫.
ક્ષોભરહિત એકાન્તમાં સ્વરૂપસ્થિર થઈ ખાસ,
યોગી તજી પરમાદને કરે તું તત્ત્વાભ્યાસ. ૩૬.
જ્યમ જ્યમ સંવેદન વિષે આવે ઉત્તમ તત્ત્વ,
સુલભ મળે વિષયો છતાં, જરીયે કરે ન મમત્વ. ૩૭.
જેમ જેમ વિષયો સુલભ, પણ નહિ રુચિમાં આય,
ત્યમ ત્યમ આતમતત્ત્વમાં, અનુભવ વધતો જાય. ૩૮.
ઇંદ્રજાલ સમ દેખ જગ, આતમહિત ચિત્ત લાય,
અન્યત્ર ચિત્ત જાય જો, મનમાં તે પસ્તાય. ૩૯.
ચાહે ગુપ્ત નિવાસને, નિર્જન વનમાં જાય,
કાર્યવશ જો કંઈ કહે, તુર્ત જ ભૂલી જાય. ૪૦.
દેખે પણ નહીં દેખતા, બોલે છતાં અબોલ,
ચાલે છતાં ન ચાલતા, તત્ત્વસ્થિત અડોલ. ૪૧.
કોનું, કેવું, ક્યાં કહીં, — આદિ વિકલ્પ વિહીન,
જાણે નહિ નિજ દેહને, યોગી આતમ-લીન. ૪૨.
ઇષ્ટોપદેશ ]
[ ૧૭૯