Shastra Swadhyay (Gujarati).

< Previous Page   Next Page >


Page 183 of 214
PDF/HTML Page 195 of 226

 

background image
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
જિનવર ને શુદ્ધાત્મમાં, કિંચિત્ ભેદ ન જાણ;
મોક્ષાર્થે હે યોગીજન! નિશ્ચયથી એ માન. ૨૦.
જિનવર તે આતમ લખો, એ સિદ્ધાન્તિક સાર;
એમ જાણી યોગીજનો, ત્યાગો માયાચાર. ૨૧.
જે પરમાત્મા તે જ હું, જે હું તે પરમાત્મા;
એમ જાણી હે યોગીજન! કરો ન કાંઈ વિકલ્પ. ૨૨.
શુદ્ધ પ્રદેશી પૂર્ણ છે, લોકાકાશપ્રમાણ;
તે આતમ જાણો સદા, શીઘ્ર લહો નિર્વાણ. ૨૩.
નિશ્ચય લોકપ્રમાણ છે, તનુપ્રમાણ વ્યવહાર;
એવો આતમ અનુભવો, શીઘ્ર લહો ભવપાર. ૨૪.
લક્ષ ચોરાશી યોનિમાં, ભમિયો કાળ અનંત;
પણ સમકિત તેં નવ લહ્યું, એ જાણો નિર્ભ્રાન્ત. ૨૫.
શુદ્ધ સચેતન બુદ્ધ જિન, કેવળજ્ઞાનસ્વભાવ;
એ આતમ જાણો સદા, જો ચાહો શિવલાભ. ૨૬.
જ્યાં લગી શુદ્ધસ્વરૂપનો, અનુભવ કરે ન જીવ;
ત્યાં લગી મોક્ષ ન પામતો, જ્યાં રુચે ત્યાં જાવ. ૨૭.
ધ્યાનયોગ્ય ત્રિલોકના, જિન તે આતમ જાણ;
નિશ્ચયથી એમ જ કહ્યું, તેમાં ભ્રાન્તિ ન આણ. ૨૮.
જ્યાં લગી એક ન જાણિયો, પરમ પુનિત શુદ્ધ ભાવ;
મૂઢ તણાં વ્રત-તપ સહુ, શિવહેતુ ન કહાય. ૨૯.
જે શુદ્ધાત્મ અનુભવે, વ્રત-સંયમસંયુક્ત;
જિનવર ભાખે જીવ તે, શીઘ્ર લહે શિવસુખ. ૩૦.
યોગસાર ]
[ ૧૮૩