Shastra Swadhyay (Gujarati).

< Previous Page   Next Page >


Page 184 of 214
PDF/HTML Page 196 of 226

 

background image
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
જ્યાં લગી એક ન જાણિયો, પરમ પુનિત શુદ્ધ ભાવ;
વ્રત-તપ-સંયમ-શીલ સહુ, ફોગટ જાણો સાવ. ૩૧.
પુણ્યે પામે સ્વર્ગ જીવ, પાપે નરકનિવાસ;
બે તજી જાણે આત્માને, તે પામે શિવવાસ. ૩૨.
વ્રત-તપ-સંયમ-શીલ જે, તે સઘળાં વ્યવહાર;
શિવકારણ જીવ એક છે, ત્રિલોકનો જે સાર. ૩૩.
આત્મભાવથી આત્મને, જાણે તજી પરભાવ;
જિનવર ભાખે જીવ તે, અવિચળ શિવપુર જાય. ૩૪.
ષડ્ દ્રવ્યો જિન-ઉક્ત જે, પદાર્થ નવ જે તત્ત્વ;
ભાખ્યાં તે વ્યવહારથી, જાણો કરી પ્રયત્ન. ૩૫.
શેષ અચેતન સર્વ છે, જીવ સચેતન સાર;
જાણી જેને મુનિવરો, શીઘ્ર લહે ભવપાર. ૩૬.
જો શુદ્ધાતમ અનુભવો, તજી સકલ વ્યવહાર;
જિનપ્રભુજી એમ જ ભણે, શીઘ્ર થશો ભવપાર. ૩૭.
જીવ-અજીવના ભેદનું જ્ઞાન તે જ છે જ્ઞાન;
કહે યોગીજન યોગી હે! મોક્ષહેતુ એ જાણ. ૩૮.
યોગી કહે રે જીવ તું, જો ચાહે શિવલાભ;
કેવળજ્ઞાનસ્વભાવી આ આત્મતત્ત્વને જાણ. ૩૯.
કોણ કોની સમતા કરે, સેવે, પૂજે કોણ;
કોની સ્પર્શાસ્પર્શતા, ઠગે કોઈને કોણ?
કોણ કોની મૈત્રી કરે, કોની સાથે ક્લેશ;
જ્યાં દેખું ત્યાં સર્વ જીવ, શુદ્ધ બુદ્ધ જ્ઞાનેશ. ૪૦.
૧૮૪ ]
[ શાસ્ત્ર-સ્વાધ્યાય