શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
જો પરભાવ તજી મુનિ, જાણે આપથી આપ;
કેવળજ્ઞાનસ્વરૂપ લહી, નાશ કરે ભવતાપ. ૬૩.
ધન્ય અહો ભગવંત બુધ, જે ત્યાગે પરભાવ;
લોકાલોકપ્રકાશકર, જાણે વિમળ સ્વભાવ. ૬૪.
મુનિજન કે કોઈ ગૃહી, જે રહે આતમલીન;
શીઘ્ર સિદ્ધિસુખ તે લહે, એમ કહે પ્રભુ જિન. ૬૫.
વિરલા જાણે તત્ત્વને, વળી સાંભળે કોઈ;
વિરલા ધ્યાવે તત્ત્વને, વિરલા ધારે કોઈ. ૬૬.
આ પરિવાર ન મુજ તણો, છે સુખ-દુઃખની ખાણ;
જ્ઞાનીજન એમ ચિંતવી, શીઘ્ર કરે ભવહાણ. ૬૭.
ઇન્દ્ર, ફણીન્દ્ર, નરેન્દ્ર પણ નહીં શરણ દાતાર;
શરણ ન જાણી મુનિવરો, નિજરૂપ વેદે આપ. ૬૮.
જન્મ-મરણ એક જ કરે, સુખ-દુઃખ વેદે એક;
નર્કગમન પણ એકલો, મોક્ષ જાય જીવ એક. ૬૯.
જો જીવ તું છે એકલો, તો તજ સૌ પરભાવ;
આત્મા ધ્યાવો જ્ઞાનમય, શીઘ્ર મોક્ષસુખ થાય. ૭૦.
પાપરૂપને પાપ તો જાણે જગ સહુ કોઈ;
પુણ્યતત્ત્વ પણ પાપ છે, કહે અનુભવી બુધ કોઈ. ૭૧.
લોહબેડી બંધન કરે, સોનાની પણ તેમ;
જાણી શુભાશુભ દૂર કરે, તે જ જ્ઞાનીનો મર્મ. ૭૨.
જો તુજ મન નિર્ગ્રંથ છે, તો તું છે નિર્ગ્રંથ;
જ્યાં પામે નિર્ગ્રંથતા, ત્યાં પામે શિવપંથ. ૭૩.
જેમ બીજમાં વડ પ્રગટ, વડમાં બીજ જણાય;
તેમ દેહમાં દેવ છે, જે ત્રિલોકપ્રધાન. ૭૪.
યોગસાર ]
[ ૧૮૭