Shastra Swadhyay (Gujarati).

< Previous Page   Next Page >


Page 186 of 214
PDF/HTML Page 198 of 226

 

background image
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
વ્યવહારિક ધંધે ફસ્યા, કરે ન આતમજ્ઞાન;
તે કારણ જગજીવ તે, પામે નહિ નિર્વાણ. ૫૨.
શાસ્ત્રપાઠી પણ મૂર્ખ છે, જે નિજતત્ત્વ અજાણ;
તે કારણ એ જીવ ખરે, પામે નહિ નિર્વાણ. ૫૩.
મન-ઇન્દ્રિયથી દૂર થા, શી બહુ પૂછે વાત?
રાગપ્રસાર નિવારતાં, સહજ સ્વરૂપ ઉત્પાદ. ૫૪.
જીવ-પુદ્ગલ બે ભિન્ન છે, ભિન્ન સકળ વ્યવહાર;
તજ પુદ્ગલ ગ્રહ જીવ તો, શીઘ્ર લહે ભવપાર. ૫૫.
સ્પષ્ટ ન માને જીવને, જે નહિ જાણે જીવ;
છૂટે નહિ સંસારથી, ભાખે છે પ્રભુ જિન. ૫૬.
રત્ન દીપ રવિ દૂધ દહીં, ઘી પથ્થર ને હેમ;
સ્ફટિક રજત ને અગ્નિ નવ, જીવ જાણવો તેમ. ૫૭.
દેહાદિકને પર ગણે, જેમ શૂન્ય આકાશ;
તો પામે પરબ્રહ્મ ઝટ, કેવળ કરે પ્રકાશ. ૫૮.
જેમ શુદ્ધ આકાશ છે, તેમ શુદ્ધ છે જીવ;
જડરૂપ જાણો વ્યોમને, ચૈતન્યલક્ષણ જીવ. ૫૯.
ધ્યાન વડે અભ્યંતરે, દેખે જે અશરીર;
શરમજનક જન્મો ટળે, પીએ ન જનનીક્ષીર. ૬૦.
તનવિરહિત ચૈતન્યતન, પુદ્ગલ-તન જડ જાણ;
મિથ્યા મોહ દૂરે કરી, તન પણ મારું ન માન. ૬૧.
નિજને નિજથી જાણતાં, શું ફળ પ્રાપ્ત ન થાય?
પ્રગટે કેવળજ્ઞાન ને શાશ્વત સુખ પમાય. ૬૨.
૧૮૬ ]
[ શાસ્ત્ર-સ્વાધ્યાય