Shastra Swadhyay (Gujarati).

< Previous Page   Next Page >


Page 47 of 214
PDF/HTML Page 59 of 226

 

background image
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
સુર-અસુર-નરપતિ પીડિત વર્તે સહજ ઇન્દ્રિયો વડે,
નવ સહી શકે તે દુઃખ તેથી રમ્ય વિષયોમાં રમે. ૬૩.
વિષયો વિષે રતિ જેમને, દુખ છે સ્વભાવિક તેમને;
જો તે ન હોય સ્વભાવ તો વ્યાપાર નહિ વિષયો વિષે. ૬૪.
ઇન્દ્રિયસમાશ્રિત ઇષ્ટ વિષયો પામીને, નિજ ભાવથી
જીવ પ્રણમતો સ્વયમેવ સુખરૂપ થાય, દેહ થતો નથી. ૬૫.
એકાંતથી સ્વર્ગેય દેહ કરે નહિ સુખ દેહીને,
પણ વિષયવશ સ્વયમેવ આત્મા સુખ વા દુખ થાય છે. ૬૬.
જો દ્રષ્ટિ પ્રાણીની તિમિરહર, તો કાર્ય છે નહિ દીપથી;
જ્યાં જીવ સ્વયં સુખ પરિણમે, વિષયો કરે છે શું તહીં? ૬૭.
જ્યમ આભમાં સ્વયમેવ ભાસ્કર ઉષ્ણ, દેવ, પ્રકાશ છે,
સ્વયમેવ લોકે સિદ્ધ પણ ત્યમ જ્ઞાન, સુખ ને દેવ છે. ૬૮.
ગુરુ-દેવ-યતિપૂજા વિષે, વળી દાન ને સુશીલો વિષે,
જીવ રક્ત ઉપવાસાદિકે, શુભ-ઉપયોગસ્વરૂપ છે. ૬૯.
શુભયુક્ત આત્મા દેવ વા તિર્યંચ વા માનવ બને;
તે પર્યયે તાવત્સમય ઇન્દ્રિયસુખ વિધવિધ લહે. ૭૦.
સુરનેય સૌખ્ય સ્વભાવસિદ્ધ નસિદ્ધ છે આગમ વિષે;
તે દેહવેદનથી પીડિત રમણીય વિષયોમાં રમે. ૭૧.
તિર્યંચ-નારક-સુર-નરો જો દેહગત દુખ અનુભવે,
તો જીવનો ઉપયોગ એ શુભ ને અશુભ કઈ રીત છે? ૭૨.
ચક્રી અને દેવેન્દ્ર શુભ-ઉપયોગમૂલક ભોગથી
પુષ્ટિ કરે દેહાદિની, સુખી સમ દીસે અભિરત રહી. ૭૩.
શ્રી પ્રવચનસાર-પદ્યાનુવાદ ]
[ ૪૭