શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
પરિણામજન્ય અનેકવિધ જો પુણ્યનું અસ્તિત્વ છે,
તો પુણ્ય એ દેવાન્ત જીવને વિષયતૃષ્ણોદ્ભવ કરે. ૭૪.
તે ઉદિતતૃષ્ણ જીવો, દુખિત તૃષ્ણાથી, વિષયિક સુખને
ઇચ્છે અને આમરણ દુખસંતપ્ત તેને ભોગવે. ૭૫.
પરયુક્ત, બાધાસહિત, ખંડિત, બંધકારણ, વિષમ છે;
જે ઇન્દ્રિયોથી લબ્ધ તે સુખ એ રીતે દુઃખ જ ખરે. ૭૬.
નહિ માનતો — એ રીત પુણ્યે પાપમાં ન વિશેષ છે
તે મોહથી આચ્છન્ન ઘોર અપાર સંસારે ભમે. ૭૭.
વિદિતાર્થ એ રીત, રાગદ્વેષ લહે ન જે દ્રવ્યો વિષે,
શુદ્ધોપયોગી જીવ તે ક્ષય દેહગત દુઃખનો કરે. ૭૮.
જીવ છોડી પાપારંભને શુભ ચરિતમાં ઉદ્યત ભલે,
જો નવ તજે મોહાદિને તો નવ લહે શુદ્ધાત્મને. ૭૯.
જે જાણતો અર્હંતને ગુણ, દ્રવ્ય ને પર્યયપણે,
તે જીવ જાણે આત્મને, તસુ મોહ પામે લય ખરે. ૮૦.
જીવ મોહને કરી દૂર, આત્મસ્વરૂપ સમ્યક્ પામીને,
જો રાગદ્વેષ પરિહરે તો પામતો શુદ્ધાત્મને. ૮૧.
અર્હંત સૌ કર્મો તણો કરી નાશ એ જ વિધિ વડે,
ઉપદેશ પણ એમ જ કરી, નિર્વૃત થયા; નમું તેમને. ૮૨.
દ્રવ્યાદિકે મૂઢ ભાવ વર્તે જીવને, તે મોહ છે;
તે મોહથી આચ્છન્ન રાગી-દ્વેષી થઈ ક્ષોભિત બને. ૮૩.
રે! મોહરૂપ વા રાગરૂપ વા દ્વેષપરિણત જીવને
વિધવિધ થાયે બંધ, તેથી સર્વ તે ક્ષયયોગ્ય છે. ૮૪.
૪૮ ]
[ શાસ્ત્ર-સ્વાધ્યાય