સુરઘટ સુરતરુ ઉપમા, પ્રભુને કહો કેમ છાજેરે;
આત્મિક સુખની આગળે, ચિંતામણિ પણ લાજેરે...
સીમં૦ ૨
લોકાલોકપ્રકાશતા, મહિમા અપરંપારરે;
તારક વારક ચઉગતિ, સત્યસ્વરૂપાધારરે....
સીમં૦ ૩
શુદ્ધ બુદ્ધ અવિનાશી તું, અવિચલ નયનાનંદરે;
પામી સુરતરુ પુણ્યથી, સેવે બાઉલ કોણ મંદરે.....
સીમં૦ ૪
અનુપમ પ્રભુગુણધ્યાનથી, નિશદિન મનમાં રાચું રે;
તુજ સેવક જિન ધ્યાવતાં, લાગ્યું સ્વરૂપ શુદ્ધ સાચું રે..
સીમં૦ ૫
❖
સ્તવન
(રાગ – શ્રી શ્રેયાંસજિન અંતરજામી)
ઐસા સ્વરૂપ વિચારો હંસા, ગુરુગમ શૈલી ધારીરે,
પુદ્ગલ રૂપાદિકથી ન્યારો, નિર્મળ સ્ફટિક સમાનોરે;
નિજ સત્તા ત્રિહું કાલે અખણ્ડિત, કબહુ રહે નહિ છાનોરે.
ઐસા૦ ૧
ભેદજ્ઞાન સૂર ઉદયે જાગી, આતમધંધે લાગોરે;
સ્થિરદ્રષ્ટિ સત્તા નિજ ધ્યાયી, પરપરિણમતા ત્યાગોરે.
ઐસા૦ ૨
૧૬૪ ][ શ્રી જિનેન્દ્ર