એટલો અંતર પણ થયો, આવિરભાવ તિરોભાવ રે,
આવિરભાવે ગુણ નીપના, તિણે તુજ રમણ સ્વભાવ રે.
અજિત૦ ૩
રાગદ્વેષાદિ વિભાવની, પરણતી પરભાવે રે;
ગ્રહણ કરતો કરે પર ગુણ તણો, પ્રાણી એહ તિરોભાવે રે.
અજિત૦ ૪
એહ અંતર પડ્યો તુજ થકી, તેને મન ઘણું દુઃખ રે;
ભીખ માંગે કુણ ધન છતે, છતે આહાર કુણ ભૂખ રે.
અજિત૦ ૫
તુજ અવલંબને આંતરો, ટળે માહરે સ્વામ રે;
અચલ અખંડ અગુરુલહુ, લહે નિરવદ્ય ઠામ રે.
અજિત૦ ૬
જે અવેદી અખેદી પણે, અલેશી ને અજોગી રે;
ઉત્તમ પદ વર પામીને થાયે ચેતન ભોગી રે.
અજિત૦ ૭
❀
શ્રી સિદ્ધ – સ્તુતિ
(રાગ — મનમોહન જિનરાયા)
સિદ્ધિએ નમો સિદ્ધ અનંતા, અને હો મારા વ્હાલા રે
સિદ્ધિએ નમો૦
સ્તવન મંજરી ][ ૧૯૭