Shri Jinendra Stavan Manjari (Gujarati).

< Previous Page   Next Page >


Page 198 of 438
PDF/HTML Page 216 of 456

 

background image
વરણાદિક ચઉ અળગા કીધા, ષટ સંઠાણ નહીં પરસિદ્ધા;
એતો સાદિ-અનંત સ્થિતિ સિદ્ધા રે..........સિદ્ધિ૦
ચિદ્ અવગાહનમાં જે ઠાયા, દેહાતીત તે સિદ્ધ કહાયા;
એતો ચિદાનંદ લય પાયા રે..........સિદ્ધિ૦
અનંત જ્ઞાન દરશન સોહાયા, અવ્યાબાધ સુખે વળી ઠાયા;
એતો ક્ષાયિક સમકિત પાયા રે..........સિદ્ધિ૦
એક સમય સગ રાજ સધાયા, લોક શિખર ફરસીને ઠાયા;
એતો અજ અવિનાશી કહાયા રે.........સિદ્ધિ૦
અરૂપી અક્ષયસ્થિતિ જાસ વખાણી, અગુરુલઘુ અવગાહના જાણી;
એતો અનંત વીરજની ખાણી રે..........સિદ્ધિ૦
આપ સ્વરૂપે જેહ સરૂપી, પુદ્ગલ ત્યાગે વરતે અરૂપી;
એતો નહિ નહિ રૂપારૂપી રે............સિદ્ધિ૦
સકલ સુરાસુર સુખ સમુદાયા, તેહથી ભિન્ન અનંતું સુખ જે પાયા;
એતો વચનાતીત કહાયા રે..........સિદ્ધિ૦
સિદ્ધ નિરંજનના ગુણ ગાવો, પરમાનંદ મહોદય પાવો;
થિર તન મન કરીને ધ્યાવો રે..........સિદ્ધિ૦
સંતજનો કહે સિદ્ધનું ધ્યાન, ધ્યાઈએ તત્પર થઈ એકતાન;
તે હોયે સિદ્ધ ભગવાન રે..........સિદ્ધિ૦
૧૯૮ ][ શ્રી જિનેન્દ્ર