મનમોહન શ્રી જિનરાજ કંચન કાયારે,
અવલંબ્યા મેં મહારાજ તોરા પાયારે. ૩
ઇમ જાણીને જગદીશ મુજને તારોરે,
દુઃખ દારિદ્ર ભયથી નાથ મુને ઉગારોરે;
ઝાઝી ઝાઝી શી વાત તુમને કહીએરે,
પ્રભુ પોતાના કરીને આજ હવે નિરવહિયેરે. ૪
તુમને છોડીને ઓર કોને જાચું રે,
જિન દાખો મુજને તેહ કહિયે સાચું રે;
શ્રી અક્ષય આત્મસ્વરૂપ ચરણ પસાયેરે,
એ આનંદિત મન ખંત પ્રભુ ગુણ ગાયેરે. ૫
❐
શ્રી સુપાસ જિન – સ્તવન
(પ્રભુજી મેરે વિનતિ ધરજો ધ્યાન – રાગ)
હરી મોહે પ્યારો સુપાસકો નામ.....
પ્યારો સુપાસકો નામ; હરી૦
વંછિત પૂરણ નામ તિહારો,
સબ સુખકો વિસરામ...... હરી૦ ૧
ભવ ભય ભંજન જન મનરંજન,
ગંજન પાપકો ઠામ; હરી૦
સુરપતિ નરપતિ અહનિશિ સેવે,
શિવ સુખકી એક હામ.....હરી૦ ૨
૨૯૨ ][ શ્રી જિનેન્દ્ર