Swami Kartikeyanupreksha (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 19 of 321

 

background image
અમૃતરસના અખંડ ઝરણાની જેમ નીતરી રહ્યો છે. ભવભીરુ મુમુક્ષુ
આત્માઓને આત્યન્તિક ભવનિવૃત્તિનો સન્માર્ગ સરળ અને સુગમ ભાષામાં
ચીંધતો હોવાથી, આ ગ્રંથ ખરેખર અતિ-ઉપયોગી છે. તેથી ઘણા સમયથી
અપ્રાપ્ય એવા આ ગુજરાતી ભાષાનુવાદની ત્રીજી આવૃત્તિ શ્રી દિગંબર જૈન
સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ તરફથી પ્રકાશિત કરવામાં આવી છે.
‘સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા’ના આ પાવન પ્રકાશન દ્વારા મુમુક્ષુજીવો તેમાં
કહેલાં ઊંડા તાત્ત્વિક ભાવોને સમજી પોતાનો જ્ઞાનવૈરાગ્યમય સાધનાપથ
ઉજ્જ્વળ કરે એ જ મંગળ ભાવના.
વિ. સં. ૨૦૬૩,
શ્રાવણ વદ ૨,
(બહેનશ્રી ચંપાબેનની ૯૪મી
જન્મજયન્તી)
સાહિત્ય પ્રકાશનસમિતિ
શ્રી દિ. જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ,
સોનગઢ–364250
[ ૧૭ ]