કર્તવ્ય પ્રગટ કરી અંતમંગળ દ્વારા આ ગ્રંથ સમાપ્ત કર્યો છે. એ પ્રમાણે બધીય
મળીને ચારસો એકાણું ગાથાપ્રમાણ આ ગ્રંથ છે.
(ગાથા ૪૮૯) અપરનામ સ્વામી કાર્તિકેય છે. તેમના ગુરુનું નામ વિનયસેન
હતું. ‘કુમાર’ નામના અનેક આચાર્ય તેમજ વિદ્વાન થઈ ગયા છે. તેમાં આ
અનુપ્રેક્ષા-ગ્રંથના કર્તા ‘સ્વામી કુમાર’ લગભગ ઇસવી સન ૧૦૦૮માં દક્ષિણ
ભારતને વિષે વિચરતા હતા
સંસ્કૃત ટીકામાં ‘સ્વામી કાર્તિકેયમુનિ ક્રોંચરાજાકૃત ઉપસર્ગને જીતી દેવલોક
ગયા’
છાબડા (ઇસવી સન ૧૮૦૯) દ્વારા સંસ્કૃત ટીકાના આધારે રચિત ઢૂંઢારી
ભાષા ટીકા. વીર સં. ૨૪૪૭, ઇ. સ. ૧૯૨૧માં ‘ભારતીય જૈન સિદ્ધાન્ત
પ્રકાશિની સંસ્થા’ દ્વારા પ્રકાશિત આ અનુપ્રેક્ષા-ગ્રંથની દ્વિતીયાવૃત્તિના આધારે
કલોલનિવાસી સ્વ. શ્રી સોમચંદભાઈ અમથાલાલ શાહ દ્વારા વિ. સં.
૨૦૦૭માં આ ગુજરાતી ભાષાનુવાદ કરવામાં આવ્યો છે. આ ગુજરાતી
ભાષાનુવાદનું પ્રથમ સંસ્કરણ ‘શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાનપ્રસારક ટ્રસ્ટ’, અમદાવાદ
તરફથી વિ. સં. ૨૦૦૭માં પ્રકાશિત કરવામાં આવ્યું હતું. તે ગુજરાતી
સંસ્કરણના આધારે, અધ્યાત્મ જ્ઞાનવૈરાગ્યનો અનુપમ બોધ આપનાર સૌરાષ્ટ્રના
આધ્યાત્મિક સંત પરમ પૂજ્ય સદ્ગુરુદેવ શ્રી કાનજીસ્વામીએ જ્ઞાન, વૈરાગ્ય
ને ભક્તિરસથી તરબોળ પોતાનાં સ્વાનુભવસુધાસ્યંદી અદ્ભુત પ્રવચનોમાં
‘સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા’નાં જે ગહન રહસ્યો ખોલ્યાં છે તે શ્રવણ કરીને
મુમુક્ષુહૃદયોને અનુભવ થયો કે આ ગ્રંથમાં, દ્રવ્યસ્વભાવને યથાવત્ લક્ષમાં
રાખીને, સ્વામી કુમાર (સ્વામી કાર્તિકેય) મુનિવરનો વિશુદ્ધ જ્ઞાન-વૈરાગ્યરસ,