કે
શાનું? એ પ્રમાણે દ્રવ્ય-પર્યાયનું સ્વરૂપ કહી પછી સર્વ પદાર્થોને જાણવાવાળા
પ્રત્યક્ષ-પરોક્ષસ્વરૂપ જ્ઞાનનું વર્ણન કર્યું છે. અનેકાન્તસ્વરૂપ વસ્તુને સાધવાવાળું
શ્રુતજ્ઞાન છે, અને તેના ભેદ નય છે. તે વસ્તુને અનેક ધર્મસ્વરૂપ સાધે છે,
તેનું વર્ણન છે. વળી કહ્યું છે કે
કરવાવાળા વિરલા છે, પણ વિષયોને વશ થવાવાળા ઘણા છે.
સર્વ સુલભ છે; પરંતુ માત્ર એક સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ મોક્ષમાર્ગ પામવો
મહા દુર્લભ છે
સમ્યગ્દ્રષ્ટિનું વર્ણન છે, બે ગાથાઓમાં દર્શનપ્રતિમાનુ, એકતાલીસ ગાથાઓમાં
વ્રતપ્રતિમાનું (શ્રાવકનાં બાર વ્રતોનું), બે ગાથાઓમાં સામાયિકપ્રતિમાનું, છ
ગાથાઓમાં પ્રોષધપ્રતિમાનું, ત્રણ ગાથાઓમાં સચિત્તત્યાગપ્રતિમાનું, બે
ગાથાઓમાં રાત્રિભોજનત્યાગપ્રતિમાનું, એક ગાથામાં બ્રહ્મચર્યપ્રતિમાનું, એક
ગાથામાં આરંભવિરતિપ્રતિમાનું, બે ગાથાઓમાં પરિગ્રહત્યાગપ્રતિમાનું, બે
ગાથાઓમાં અનુમતિત્યાગપ્રતિમાનું અને બે ગાથાઓમાં ઉદ્દિષ્ટઆહાર-
ત્યાગપ્રતિમાનું વર્ણન છે
ક્ષમાદિ દશલક્ષણધર્મનું પાલન કરે છે તે દશલક્ષણધર્મનું ભિન્ન ભિન્ન વર્ણન
કર્યું છે. અહિંસાદિ ધર્મની મહત્તાનું વર્ણન કર્યું છે, ત્યાં કહ્યું છે કે
ધર્મમાં શંકાદિ આઠ દૂષણ ન રાખવાં, પણ નિઃશંકિતાદિ આઠ અંગ સહિત
ધર્મ સેવવો.