તોપણ નાના પ્રકારનાં સ્વર્ગાદિકનાં ઉત્તમ સુખ પામે છે. ગાથા ૩૨૭માં કહ્યું
છે કે
સમ્યક્ત્વનો એ અનુપમ મહિમા! માટે શ્રીગુરુનો ઉપદેશ છે કે
છે, નવ ગાથાઓમાં અશરણાનુપ્રેક્ષાનું વર્ણન કર્યું છે , બેંતાળીશ ગાથાઓમાં
સંસારાનુપ્રેક્ષાનું વર્ણન કર્યું છે,
એકત્વાનુપ્રેક્ષાનું વર્ણન કર્યું છે, ત્રણ ગાથાઓમાં અન્યત્વાનુપ્રેક્ષાનું વર્ણન કર્યું છે,
પાંચ ગાથાઓમાં અશુચિત્વાનુપ્રેક્ષાનું વર્ણન કર્યું છે, સાત ગાથાઓમાં
આસ્રવાનુપ્રેક્ષાનું વર્ણન કર્યું છે, સાત ગાથાઓમાં સંવરાનુપ્રેક્ષાનું વર્ણન કર્યું છે,
તેર ગાથાઓમાં નિર્જરાનુપ્રેક્ષાનું વર્ણન કર્યું છે, એકસો ઓગણસીત્તેર
ગાથાઓમાં લોકાનુપ્રેક્ષાનું વર્ણન કર્યું છે.
ઊંચો છે અને તેનું ઘનરૂપ ક્ષેત્રફળ કરતાં ત્રણસો તેંતાળીશ રાજુ થાય છે;
અને તે જીવ-અજીવ દ્રવ્યોથી ભરેલો છે. ત્યાં પ્રથમ જીવદ્રવ્યનું વર્ણન કર્યું છે
અને તેના અઠ્ઠાણું જીવસમાસ કહ્યા છે, તે પછી પર્યાપ્તિઓનું વર્ણન કર્યું છે,
લોકમાં જે જીવ જ્યાં જ્યાં રહે છે તેનું વર્ણન કરી તેની સંખ્યા તેનું અલ્પ-
બહુત્વ તથા તેનાં આયુ-કાયનું પ્રમાણ કહ્યું છે. વળી કોઈ અન્યવાદી જીવનું
સ્વરૂપ અન્યપ્રકારરૂપ માને છે તેનું યુક્તિપૂર્વક નિરાકરણ કર્યું છે. બહિરાત્મા-
અંતરાત્મા-પરમાત્માનું વર્ણન કરી કહ્યું છે કે અંતઃતત્ત્વ તો જીવ છે અને અન્ય
બધાં બાહ્યતત્ત્વ છે;