Swami Kartikeyanupreksha (Gujarati). Gatha: 392-393.

< Previous Page   Next Page >


Page 218 of 297
PDF/HTML Page 242 of 321

 

background image
હવે મુનિધર્મનું વ્યાખ્યાન કરે છેઃ
जो रयणत्तयजुत्तो खमादिभावेहिं परिणदो णिच्चं
सव्वत्थ वि मज्झत्थो सो साहू भण्णदे धम्मो ।।३९२।।
यः रत्नत्रययुक्तः क्षमादिभावैः परिणतः नित्यम्
सर्वत्र अपि मध्यस्थः सः साधुः भण्यते धर्मः ।।३९२।।
અર્થઃજે પુરુષ રત્નત્રય અર્થાત્ નિશ્ચયવ્યવહારરૂપ
સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રથી યુક્ત હોય, ક્ષમાદિ ભાવ અર્થાત્ ઉત્તમ
ક્ષમાથી માંડી દસ પ્રકારના ધર્મોથી નિત્યનિરંતર પરિણત હોય, સુખ
દુઃખ, તૃણકંચન, લાભઅલાભ, શત્રુમિત્ર, નિન્દાપ્રસંશા અને
જીવનમરણ આદિમાં મધ્યસ્થ એટલે કે સમભાવરૂપ વર્તે અને રાગ-
દ્વેષથી રહિત હોય તેને સાધુ કહે છે, તેને જ ધર્મ કહે છે; કારણ કે
જેમાં ધર્મ છે તે જ ધર્મની મૂર્તિ છે, તે જ ધર્મ છે.
ભાવાર્થઃઅહીં રત્નત્રય સહિત કહેવામાં તેર પ્રકારનું ચારિત્ર
છે તે મહાવ્રત આદિ મુનિનો ધર્મ છે, તેનું વર્ણન કરવું જોઈએ; પરન્તુ
અહીં દસ પ્રકારના વિશેષ ધર્મોનું વર્ણન છે. તેમાં મહાવ્રત આદિનું
વર્ણન પણ ગર્ભિત છે એમ સમજવું.
હવે દસ પ્રકારના ધર્મોનું વર્ણન કરે છેઃ
सो चेव दहपयारो खमादिभावेहिं सुक्खसारेहिं
ते पुण भणिज्जमाणा मुणियव्वा परमभत्तीए ।।३९३।।
सः च एव दशप्रकारः क्षमादिभावैः सौख्यसारैः
ते पुनः भण्यमानाः ज्ञातव्याः परमभक्त्या ।।३९३।।
અર્થઃતે મુનિધર્મ ક્ષમાદિ ભાવોથી દસ પ્રકારનો છે. કેવો છે
તે? સૌખ્યસાર એટલો તેનાથી સુખ થાય છે અથવા તેનામાં સુખ છે
અથવા સુખથી સારરૂપ છે
એવો છે. હવે કહેવામાં આવનાર દસ
પ્રકારના ધર્મો ભક્તિથી, ઉત્તમ ધર્માનુરાગથી જાણવા યોગ્ય છે.
૨૧૮ ]
[ સ્વામિકાર્ત્તિકેયાનુપ્રેક્ષા