૨૧૮ ]
અર્થઃ — જે પુરુષ રત્નત્રય અર્થાત્ નિશ્ચય – વ્યવહારરૂપ સમ્યગ્દર્શન – જ્ઞાન – ચારિત્રથી યુક્ત હોય, ક્ષમાદિ ભાવ અર્થાત્ ઉત્તમ ક્ષમાથી માંડી દસ પ્રકારના ધર્મોથી નિત્ય – નિરંતર પરિણત હોય, સુખ – દુઃખ, તૃણ – કંચન, લાભ – અલાભ, શત્રુ – મિત્ર, નિન્દા – પ્રસંશા અને જીવન – મરણ આદિમાં મધ્યસ્થ એટલે કે સમભાવરૂપ વર્તે અને રાગ- દ્વેષથી રહિત હોય તેને સાધુ કહે છે, તેને જ ધર્મ કહે છે; કારણ કે જેમાં ધર્મ છે તે જ ધર્મની મૂર્તિ છે, તે જ ધર્મ છે.
ભાવાર્થઃ — અહીં રત્નત્રય સહિત કહેવામાં તેર પ્રકારનું ચારિત્ર છે તે મહાવ્રત આદિ મુનિનો ધર્મ છે, તેનું વર્ણન કરવું જોઈએ; પરન્તુ અહીં દસ પ્રકારના વિશેષ ધર્મોનું વર્ણન છે. તેમાં મહાવ્રત આદિનું વર્ણન પણ ગર્ભિત છે એમ સમજવું.
હવે દસ પ્રકારના ધર્મોનું વર્ણન કરે છેઃ —
અર્થઃ — તે મુનિધર્મ ક્ષમાદિ ભાવોથી દસ પ્રકારનો છે. કેવો છે તે? સૌખ્યસાર એટલો તેનાથી સુખ થાય છે અથવા તેનામાં સુખ છે અથવા સુખથી સારરૂપ છે – એવો છે. હવે કહેવામાં આવનાર દસ પ્રકારના ધર્મો ભક્તિથી, ઉત્તમ ધર્માનુરાગથી જાણવા યોગ્ય છે.