ગુણસ્થાનની પ્રતિમા અતિચાર રહિત પળાય છે. ત્યાં
પ્રત્યાખ્યાનાવરણકષાયના તીવ્ર
થતી જાય છે. ત્યાં એમ કહ્યું છે કે ઘરનું સ્વામિપણું છોડી ગૃહકાર્ય
તો પુત્રાદિકને સોંપે તથા પોતે કષાયહાનિના પ્રમાણમાં પ્રતિમાની પ્રતિજ્ઞા
અંગીકાર કરતો જાય. જ્યાં સુધી સકલસંયમ ન ગ્રહણ કરે ત્યાં સુધી
ચિંતવનમાં રહી સમાધિપૂર્વક પ્રાણ છોડે તે સાધક કહેવાય છે. એવું
વ્યાખ્યાન છે.
આપે, એક ભાગ પોતાના ભોગમાં ખરચ કરે, એક ભાગ પોતાના
સ્વજનસમૂહના વ્યવહારમાં ખર્ચે અને બાકીના બે ભાગ અનામત ભંડાર
તરીકે રાખે. તે દ્રવ્ય કોઈ મોટા પૂજન વા પ્રભાવનામાં અથવા કાળ
તથા પહેલાંની ગાથાના કથનમાં અન્ય ગ્રંથોનાં કથન સધાય છે. કથન
ઘણું કર્યું છે તે બધું સંસ્કૃત ટીકાથી જાણવું, અહીં તો ગાથાનો જ અર્થ
સંક્ષેપમાં લખ્યો છે, વિશેષ જાણવાની ઇચ્છા હોય તેણે રયણસાર,
વસુનંદીકૃત શ્રાવકાચાર, રત્નકરંડશ્રાવકાચાર, પુરુષાર્થસિદ્ધિયુપાય,
અમિતગતિશ્રાવકાચાર અને પ્રાકૃતદોહાબંધશ્રાવકાચાર ઇત્યાદિ ગ્રંથોથી
જાણવું. અહીં સંક્ષેપમાં કથન કર્યું છે. એ પ્રમાણે બારભેદરૂપ
શ્રાવકધર્મનું વર્ણન કર્યું.