Swami Kartikeyanupreksha (Gujarati). Gatha: 395.

< Previous Page   Next Page >


Page 220 of 297
PDF/HTML Page 244 of 321

 

૨૨૦ ]

[ સ્વામિકાર્ત્તિકેયાનુપ્રેક્ષા

ત્યાં ક્રોધનું નિમિત્ત આવતાં એવું ચિંતવન કરે કે જો કોઈ મારા દોષ કહે છે તે જો મારામાં વિદ્યમાન છે તો તે શું ખોટું કહે છે? એમ વિચારી ક્ષમા કરવી. વળી જો મારામાં દોષ નથી એ તો જાણ્યા વિના કહે છે ત્યાં અજ્ઞાની ઉપર કોપ શો કરવો?એમ વિચારી ક્ષમા કરવી; અજ્ઞાનીનો તો બાળસ્વભાવ ચિંતવવો, એટલે બાળક તો પ્રત્યક્ષ પણ કહે અને આ તો પરોક્ષ જ કહે છે એ જ ભલું છે, વળી પ્રત્યક્ષ પણ કુવચન કહે તો આમ વિચારવું કે બાળક તો તાડન પણ કરે અને આ તો કુવચન જ કહે છેતાડતો નથી એ જ ભલું છે, વળી જો તાડન કરે તો આમ વિચારવું કેબાળક અજ્ઞાની તો પ્રાણઘાત પણ કરે અને આ તો માત્ર તાડન જ કરે છે, પણ પ્રાણઘાત તો નથી કર્યો એ જ ભલું છે; વળી પ્રાણઘાત કરે તો એમ વિચારવું કે અજ્ઞાની તો ધર્મનો પણ વિધ્વંસ (નાશ) કરે છે અને આ તો પ્રાણઘાત કરે છે, પણ ધર્મનો વિધ્વંસ તો નથી કરતો. વળી વિચારે કે મેં પૂર્વે પાપકર્મ ઉપજાવ્યાં તેનું આ દુર્વચનાદિ ઉપસર્ગફળ છે. આ મારો જ અપરાધ છે બાકી અન્ય તો નિમિત્તમાત્ર છે, ઇત્યાદિ ચિંતવન કરતાં ઉપસર્ગાદિના નિમિત્તથી ક્રોધ ઉત્પન્ન થતો નથી અને ઉત્તમ ક્ષમાધર્મ સધાય છે.

હવે ઉત્તમ માર્દવધર્મ કહે છેઃ

उत्तमणाणपहाणो उत्तमतवयरणकरणसीलो वि
अप्पाणं जो हीलदि मद्दवरयणं भवे तस्स ।।३९५।।
उत्तमज्ञानप्रधानः उत्तमतपश्चरणक रणशीलः अपि
आत्मानं यः हीलति मार्दवरत्नं भवेत् तस्य ।।३९५ ।।

અર્થઃજે મુનિ ઉત્તમજ્ઞાનથી તો પ્રધાન હોય તથા ઉત્તમ તપશ્ચરણ કરવાનો જેનો સ્વભાવ હોય તોપણ પોતાના આત્માને મદરહિત કરેઅનાદરરૂપ કરે તે મુનિને ઉત્તમ માર્દવધર્મરત્ન હોય છે.

ભાવાર્થઃસકલ શાસ્ત્રને જાણવાવાળો પંડિત હોય તોપણ જ્ઞાનમદ ન કરે. ત્યાં આમ વિચારે કે મારાથી મોટા અવધિ