મનઃપર્યયજ્ઞાની છે, કેવળજ્ઞાની તો સર્વોત્કૃષ્ટ જ્ઞાની છે, હું કોણ છું?
અલ્પજ્ઞ છું. વળી ઉત્તમતપ કરે તોપણ તેનો મદ ન કરે, પોતે સર્વ
જાતિ, કુળ, બળ, વિદ્યા, ઐશ્વર્ય અને તપ આદિ વડે સર્વથી મોટો છે
તોપણ પરકૃત અપમાનને પણ સહન કરે છે, પરંતુ ત્યાં ગર્વ કરી કષાય
ઉપજાવતો નથી. ત્યાં ઉત્તમ માર્દવધર્મ હોય છે.
હવે ઉત્તમ આર્જવધર્મ કહે છેઃ —
जो चिंतेइ ण वंकं कुणदि ण वंकं ण जंपए वंकं ।
ण य गोवदि णियदोसं अज्जवधम्मो हवे तस्स ।।३९६।।
यः चिन्तयति न वक्रं करोति न वक्रं न जल्पते वक्रम् ।
न च गोपायति निजदोषं आर्जवधर्मः भवेत् तस्य ।।३९६।।
અર્થઃ — જે મુનિ મનમાં વક્રતા ન ચિંતવે, કાયાથી વક્રતા ન કરે,
વચનથી વક્રતા ન બોલે તથા પોતાના દોષોને ગોપવે નહિ – છુપાવે નહિ
તે મુનિને ઉત્તમ આર્જવધર્મ હોય છે.
ભાવાર્થઃ — મન-વચન-કાયામાં સરળતા હોય અર્થાત્ જે મનમાં
વિચારે, તે જ વચનથી કહે અને તે જ કાયાથી કરે, પણ બીજાને
ભુલવણીમાં નાખવા-ઠગવા અર્થે વિચાર તો કાંઈ કરવો અને કહેવું બીજું
તથા કરવું વળી કાંઈ બીજું, ત્યાં માયાકષાય પ્રબળ હોય છે. એમ ન
કરે પણ નિષ્કપટ બની પ્રવર્તે, પોતાનો દોષ છુપાવે નહિ પણ જેવો હોય
તેવો બાળકની માફક ગુરુની પાસે કહે ત્યાં ઉત્તમ આર્જવધર્મ હોય છે.
હવે ઉત્તમ શૌચધર્મ કહે છેેઃ —
समसंतोसजलेण य जो धोवदि तिह्णलोहमलपुंजं ।
भोयणगिद्धिविहीणो तस्स सउच्चं हवे विमलं ।।३९७।।
समसन्तोषजलेन च यः धोवति तृष्णालोभमलपुंजम् ।
भोजनगृद्धिविहीनः तस्य शौचं भवेत् विमलम् ।।३९७।।
અર્થઃ — જે મુનિ સમભાવ અર્થાત્ રાગ-દ્વેષરહિત પરિણામ અને
ધર્માનુપ્રેક્ષા ]
[ ૨૨૧