Swami Kartikeyanupreksha (Gujarati). Gatha: 398.

< Previous Page   Next Page >


Page 222 of 297
PDF/HTML Page 246 of 321

 

background image
સંતોષ અર્થાત્ સંતુષ્ટભાવરૂપ જળથી તૃષ્ણા તથા લોભરૂપ મળસમૂહને
ધોવે છે, ભોજનની ગૃદ્ધિ અર્થાત્ અતિ ચાહનાથી રહિત છે તે મુનિનું
ચિત્ત નિર્મળ છે, અને તેને ઉત્તમ શૌચધર્મ હોય છે.
ભાવાર્થઃતૃણકંચનને સમાન જાણવું તે સમભાવ છે તથા
સંતોષસંતુષ્ટપણુંતૃપ્તભાવ અર્થાત્ પોતાના સ્વરૂપમાં જ સુખ માનવું
એવા ભાવરૂપ જળથી ભવિષ્યમાં મળવાની ચાહનારૂપ તૃષ્ણા તથા પ્રાપ્ત
દ્રવ્યાદિકમાં અતિ લિપ્તપણારૂપ લોભ, એના (એ બંનેના) ત્યાગમાં અતિ
ખેદરૂપ મળને ધોવાથી મન પવિત્ર થાય છે. મુનિને અન્ય ત્યાગ તો હોય
જ છે, પરંતુ આહારના ગ્રહણમાં પણ તીવ્ર ચાહના રાખે નહિ, લાભ
અલાભ, સરસનીરસમાં સમભાવ રાખે તો ઉત્તમ શૌચધર્મ હોય છે.
વળી જીવનલોભ, આરોગ્ય રાખવાનો લોભ, ઇન્દ્રિયો તાજી રાખવાનો
લોભ તથા ઉપભોગનો લોભ એ પ્રમાણે લોભની ચાર પ્રકારથી પ્રવૃત્તિ
છે, તે ચારેને પોતાસંબંધી તથા પોતાના સ્વજન
મિત્રાદિ સંબંધી એમ
બંને માટે ઇચ્છે ત્યારે તેની (લોભની) આઠ ભેદરૂપ પ્રવૃત્તિ થાય છે.
જ્યાં આ પ્રમાણે બધોય લોભ ન હોય ત્યાં ઉત્તમ શૌચધર્મ હોય છે.
હવે ઉત્તમ સત્યધર્મ કહે છેઃ
जिणवयणमेव भासदि तं पालेदुं असक्कमाणो वि
ववहारेण वि अलियं ण वददि जो सच्चवाई सो ।।३९८।।
जिनवचनं एव भाषते तत् पालयितुं अशक्यमानः अपि
व्यवहारेण अपि अलीकं न वदति यः सत्यवादी सः ।।३९८।।
અર્થઃજે મુનિ જિનસૂત્રઅનુકૂળ જ વચન કહે, વળી તેમાં
જે આચારાદિ કહ્યાં છે તે પાલન કરવામાં પોતે અસમર્થ હોય તોપણ
અન્ય પ્રકારથી ન કહે, વ્યવહારથી પણ અલીક એટલે અસત્ય ન કહે
તે મુનિ સત્યવાદી છે અને તે જ ઉત્તમ સત્યધર્મ હોય છે.
ભાવાર્થઃજૈનસિદ્ધાન્તમાં આચારાદિકનું જેવું સ્વરૂપ કહ્યું હોય
તેવું જ કહે પણ એમ નહિ કે પોતાથી ન પાલન કરી શકાય, એટલે
૨૨૨ ]
[ સ્વામિકાર્ત્તિકેયાનુપ્રેક્ષા