Swami Kartikeyanupreksha (Gujarati). Gatha: 15-16.

< Previous Page   Next Page >


Page 11 of 297
PDF/HTML Page 35 of 321

 

background image
અધ્રુવાનુપ્રેક્ષા ]
[ ૧૧
यः सचित्य लक्ष्मीं घरणीतले संस्थापयति अतिदूरे
सः पूरुषः तां लक्ष्मीं पाषाणसमानिकां करोति ।।१४।।
અર્થઃજે પુરુષ પોતાની સંચિત લક્ષ્મીને ઘણે ઊંડે પૃથ્વીતળમાં
દાટે છે તે પુરુષ એ લક્ષ્મીને પાષાણ સમાન કરે છે.
ભાવાર્થઃજેમ મકાનના પાયામાં પથ્થર નાખીએ છીએ તેમ
તેણે લક્ષ્મી પણ દાટી, તેથી તે પણ પાષાણ સમાન જ થઈ.
अणवरयं जो संचदि लच्छिं ण य देदि णेय भुंजेदि
अप्पणिया वि य लच्छी परलच्छीसमाणिया तस्स ।।१५।।
अनवरतं यः संचिनोति लक्ष्मीं न च ददाति नैव भुङ्क्ते
आत्मीया अपि च लक्ष्मीः परलक्ष्मीसमानिका तस्य ।।१५।।
અર્થઃજે પુરુષ લક્ષ્મીનો નિરંતર સંચય જ કરે છે પણ નથી
દાન કરતો કે નથી ભોગવતો, તે પુરુષ પોતાની લક્ષ્મીને પારકી લક્ષ્મી
જેવી કરે છે.
ભાવાર્થઃલક્ષ્મી પામીને જે દાન કે ભોગ કરતો નથી તેને,
તે લક્ષ્મી પેલાની (તેના ખરા માલિકની) છે અને પોતે તો માત્ર રખેવાળ
(ચોકીદાર) છે; એ લક્ષ્મીને તો કોઈ બીજો જ ભોગવશે.
लच्छीसंसत्तमणो जो अप्पाणं धरेदि कट्ठेण
सो राइदाइयाणं कज्जं साहेदि मूढप्पा ।।१६।।
लक्ष्मीसंसक्त मनाः यः आत्मानं धरति कष्टेन
स राजदायादीनां कार्यं साधयति मूढात्मा ।।१६।।
અર્થઃજે પુરુષ લક્ષ્મીમાં આસક્તચિત્ત થઈને પોતાના
આત્માને કષ્ટમાં રાખે છે તે મૂઢાત્મા માત્ર રાજાઓનું અને કુટુંબીઓનું
જ કાર્ય સાધે છે.
ભાવાર્થઃલક્ષ્મીમાં આસક્તચિત્ત થઈને તેને કમાવા માટે તથા