૧૨ ][ સ્વમિકર્ત્તિકેયાનુપ્રેક્ષા તેની રક્ષા માટે જે અનેક કષ્ટ સહે છે તે પુરુષને માત્ર ફળમાં કષ્ટ જ થાય છે; એ લક્ષ્મીને તો કુટુંબ ભોગવશે કે રાજા લઈ જશે.
અર્થઃ — જે પુરુષ અનેક પ્રકારની કળા — ચતુરાઈ — બુદ્ધિ વડે લક્ષ્મીને માત્ર વધારે જાય છે પણ તૃપ્ત થતો નથી, એના માટે અસિ, મસિ અને કૃષિ અદિ સર્વ આરંભ કરે છે, રત્રિ-દિવસ તેના જ આરંભને ચિંતવે છે, વેળાએ ભોજન પણ કરતો નથી અને ચિંતામગ્ન બની રાત્રીમાં સૂતો (ઊંઘતો) પણ નથી તે પુરુષ લક્ષ્મીરૂપ સ્ત્રીમાં મોહિત થયો થકો તેનું કિંકરપણું કરે છે.
ભાવાર્થઃ — જે સ્ત્રીનો કિંકર થાય તેને લોકમાં ‘મોહલ્યા’ એવું નિંદ્ય નામ કહે છે. તેથી જે પુરુષ નિરંતર લક્ષ્મીના અર્થે જ પ્રયાસ કરે છે તે પણ લક્ષ્મીરૂપ સ્ત્રીનો મોહલ્યા છે.
હવે, જે લક્ષ્મીને ધર્મકાર્યમાં લગાવે છે તેની પ્રશંસા કરે છેઃ —