Swami Kartikeyanupreksha (Gujarati). Gatha: 17-19.

< Previous Page   Next Page >


Page 12 of 297
PDF/HTML Page 36 of 321

 

background image
૧૨ ]
[ સ્વામિકાર્ત્તિકેયાનુપ્રેક્ષા
તેની રક્ષા માટે જે અનેક કષ્ટ સહે છે તે પુરુષને માત્ર ફળમાં કષ્ટ
જ થાય છે; એ લક્ષ્મીને તો કુટુંબ ભોગવશે કે રાજા લઈ જશે.
जो वड्ढारदि लच्छिं बहुविहबुद्धीहिं णेय तिप्पेदि
सव्वारंभं कुव्वदि रत्तिदिणं तं पि चिंतेदि ।।१७।।
ण य भुंजदि वेलाए चिंतावत्थो ण सुवदि रयणीये
सो दासत्तं कुव्वदि विमोहिदो लच्छितरुणीए ।।१८।।
यः वर्धापयति लक्ष्मीं बहुविधबुद्धिभिः नैव तृप्यति
सर्वारम्भं कुरुते रात्रिदिनं तमपि चिन्तयति ।।१७।।
न च भुङ्क्ते वेलायां चिन्तावस्थः न स्वपिति रजन्याम्
सः दासत्वं कुरुते विमोहितः लक्ष्मीतरुण्याः ।।१८।।
અર્થઃજે પુરુષ અનેક પ્રકારની કળાચતુરાઈબુદ્ધિ વડે
લક્ષ્મીને માત્ર વધારે જાય છે પણ તૃપ્ત થતો નથી, એના માટે અસિ,
મસિ અને કૃષિ આદિ સર્વ આરંભ કરે છે, રાત્રિ-દિવસ તેના જ
આરંભને ચિંતવે છે, વેળાએ ભોજન પણ કરતો નથી અને ચિંતામગ્ન
બની રાત્રીમાં સૂતો (ઊંઘતો) પણ નથી તે પુરુષ લક્ષ્મીરૂપ સ્ત્રીમાં
મોહિત થયો થકો તેનું કિંકરપણું કરે છે.
ભાવાર્થઃજે સ્ત્રીનો કિંકર થાય તેને લોકમાં ‘મોહલ્યા’ એવું
નિંદ્ય નામ કહે છે. તેથી જે પુરુષ નિરંતર લક્ષ્મીના અર્થે જ પ્રયાસ
કરે છે તે પણ લક્ષ્મીરૂપ સ્ત્રીનો મોહલ્યા છે.
હવે, જે લક્ષ્મીને ધર્મકાર્યમાં લગાવે છે તેની પ્રશંસા કરે છેઃ
जो वड्ढमाणलच्छिं अणवरयं देदि धम्मकज्जेसु
सो पंडिएहिं थुव्वदि तस्स वि सहला हवे लच्छी ।।१९।।
यः वर्धमानलक्ष्मीं अनवरतं ददाति धर्मकार्येषु
सः पण्डितैः स्तूयते तस्य अपि सफला भवेत् लक्ष्मीः ।।१९।।