Swami Kartikeyanupreksha (Gujarati). Gatha: 20-21.

< Previous Page   Next Page >


Page 13 of 297
PDF/HTML Page 37 of 321

 

background image
અધ્રુવાનુપ્રેક્ષા ]
[ ૧૩
અર્થઃજે પુરુષ પુણ્યોદયથી વધતી જતી જે લક્ષ્મી, તેને
નિરંતર ધર્મકાર્યોમાં આપે છે તે પુરુષ પંડિતજનો વડે સ્તુતિ કરવા યોગ્ય
છે અને તેની જ લક્ષ્મી સફળ છે.
ભાવાર્થઃલક્ષ્મીને પૂજા, પ્રતિષ્ઠા, યાત્રા, પાત્રદાન અને
પરોપકાર ઇત્યાદિ ધર્મકાર્યોમાં ખરચવાથી જ તે સફળ છે અને
પંડિતજનો પણ તે દાતાની પ્રશંસા કરે છે.
एवं जो जाणित्ता विहलियलोयाण धम्मजुत्ताणं
णिरवेक्खो तं देदि हु तस्स हवे जीवियं सहलं ।।२०।।
एवं यः ज्ञात्वा विफलितलोकेभ्यः धर्मयुक्तेभ्यः
निरपेक्षः तां ददाति खलु तस्य भवेत् जीवितं सफलम् ।।२०।।
અર્થઃ જે પુરુષ ઉપર કહ્યા પ્રમાણે જાણીને ધર્મયુક્ત જે
નિર્ધનજન છે તેમને, પ્રત્યુપકારની વાંછારહિત થઈને, તે લક્ષ્મીને આપે
છે તેનું જીવન સફળ છે.
ભાવાર્થઃપોતાનું પ્રયોજન સાધવા અર્થે તો દાન આપવાવાળા
જગતમાં ઘણા છે, પરંતુ જે પ્રત્યુપકારની વાંછારહિતપણે ધર્માત્મા તથા
દુઃખી-દરિદ્ર પુરુષોને ધન આપે છે તેવા વિરલા છે અને તેમનું જ
જીવિત સફળ છે.
હવે આગળ મોહનું માહાત્મ્ય દર્શાવે છેઃ
जलबुब्बुयसारिच्छं धणजोव्वणजीवियं पि पेच्छंता
मण्णंति तो वि णिच्चं अइबलिओ मोहमाहप्पो ।।२१।।
जलबुद्बुदसदृशं धनयौवनजीवितं अपि पश्यन्तः
मन्यन्ते तथापि नित्यं अतिबलिष्ठं मोहमाहात्म्यम् ।।२१।।
અર્થઃઆ પ્રાણી ધન-યૌવન-જીવનને જલના બુદબુદની
(પરપોટા) માફક તુરત વિલય પામી જતાં જોવા છતાં પણ તેને નિત્ય માને
છે એ જ મોટું આશ્ચર્ય છે
એ જ મોહનું મહા બળવાન માહાત્મ્ય છે.