૧૪ ]
[ સ્વામિકાર્ત્તિકેયાનુપ્રેક્ષા
ભાવાર્થઃ — વસ્તુનું સ્વરૂપ અન્યથા જણાવવામાં મદ્યપાન,
જ્વરાદિ રોગ, નેત્રવિકાર અને અંધકાર ઇત્યાદિ અનેક કારણો છે, પરંતુ
આ મોહ તો એ સર્વથી પણ બળવાન છે, કે જે પ્રત્યક્ષ વસ્તુને વિનાશીક
દેખે છે છતાં તેને નિત્યરૂપ જ મનાવે છે. તથા મિથ્યાત્વ, કામ, ક્રોધ,
શોક ઇત્યાદિ બધા મોહના જ ભેદ છે. એ બધાય વસ્તુસ્વરૂપમાં
અન્યથા બુદ્ધિ કરાવે છે.
હવે આ કથનને સંકોચે છેઃ —
चइऊण महामोहं विसए मुणिऊण भंगुरे सव्वे ।
णिव्विसयं कुणह मणं जेण सुहं उत्तमं लहए ।।२२।।
त्यक्त्वा महामोहं विषयान् ज्ञात्वा भंगुरान् सर्वान् ।
निर्विषयं कुरुत मनः येन सुखं उत्तमं लभध्वे ।।२२।।
અર્થઃ — હે ભવ્યજીવ! તું સમસ્ત વિષયોને વિનાશીક જાણીને
મહામોહને છોડી તારા અંતઃકરણને વિષયોથી રહિત કર, જેથી તું ઉત્તમ
સુખને પ્રાપ્ત થાય.
ભાવાર્થઃ — ઉપર કહ્યા પ્રમાણે સંસાર, દેહ, ભોગ, લક્ષ્મી
ઇત્યાદિ સર્વ અસ્થિર દર્શાવ્યાં. તેમને જાણી જે પોતાના મનને વિષયોથી
છોડાવી, આ અસ્થિરભાવના ભાવશે તે ભવ્ય જીવ સિદ્ધપદના સુખને
પ્રાપ્ત થશે.
(દોહરો)
द्रव्यदृष्टितैं वस्तु थिर, पर्यय अथिर निहारि ।
उपजत विनशत देखिकैं हरष विषाद निवारि ।।
ઇતિ અધ્રુવાનુપ્રેક્ષા સમાપ્ત.
r