Swami Kartikeyanupreksha (Gujarati). Gatha: 22.

< Previous Page   Next Page >


Page 14 of 297
PDF/HTML Page 38 of 321

 

background image
૧૪ ]
[ સ્વામિકાર્ત્તિકેયાનુપ્રેક્ષા
ભાવાર્થઃવસ્તુનું સ્વરૂપ અન્યથા જણાવવામાં મદ્યપાન,
જ્વરાદિ રોગ, નેત્રવિકાર અને અંધકાર ઇત્યાદિ અનેક કારણો છે, પરંતુ
આ મોહ તો એ સર્વથી પણ બળવાન છે, કે જે પ્રત્યક્ષ વસ્તુને વિનાશીક
દેખે છે છતાં તેને નિત્યરૂપ જ મનાવે છે. તથા મિથ્યાત્વ, કામ, ક્રોધ,
શોક ઇત્યાદિ બધા મોહના જ ભેદ છે. એ બધાય વસ્તુસ્વરૂપમાં
અન્યથા બુદ્ધિ કરાવે છે.
હવે આ કથનને સંકોચે છેઃ
चइऊण महामोहं विसए मुणिऊण भंगुरे सव्वे
णिव्विसयं कुणह मणं जेण सुहं उत्तमं लहए ।।२२।।
त्यक्त्वा महामोहं विषयान् ज्ञात्वा भंगुरान् सर्वान्
निर्विषयं कुरुत मनः येन सुखं उत्तमं लभध्वे ।।२२।।
અર્થઃહે ભવ્યજીવ! તું સમસ્ત વિષયોને વિનાશીક જાણીને
મહામોહને છોડી તારા અંતઃકરણને વિષયોથી રહિત કર, જેથી તું ઉત્તમ
સુખને પ્રાપ્ત થાય.
ભાવાર્થઃઉપર કહ્યા પ્રમાણે સંસાર, દેહ, ભોગ, લક્ષ્મી
ઇત્યાદિ સર્વ અસ્થિર દર્શાવ્યાં. તેમને જાણી જે પોતાના મનને વિષયોથી
છોડાવી, આ અસ્થિરભાવના ભાવશે તે ભવ્ય જીવ સિદ્ધપદના સુખને
પ્રાપ્ત થશે.
(દોહરો)
द्रव्यदृष्टितैं वस्तु थिर, पर्यय अथिर निहारि
उपजत विनशत देखिकैं हरष विषाद निवारि ।।
ઇતિ અધ્રુવાનુપ્રેક્ષા સમાપ્ત.
r