અશરણાનુપ્રેક્ષા ]
[ ૧૫
૨. અશરણાનુપ્રેક્ષા
तत्थ भवे किं सरणं जत्थ सुरिंदाण दीसदे विलओ ।
हरिहरबंभादीया कालेण य कवलिया जत्थ ।।२३।।
तत्र भवे किं शरणं यत्र सुरेन्द्राणां दृश्यते विलयः ।
हरिहरब्रह्मादिकाः कालेन च कवलिताः यत्र ।।२३।।
અર્થઃ — જે સંસારમાં દેવોના ઇન્દ્રોનો પણ વિનાશ જોવામાં
આવે છે, જ્યાં હરિ અર્થાત્ નારાયણ, હર અર્થાત્ રુદ્ર અને બ્રહ્મા
અર્થાત્ વિધાતા તથા આદિ શબ્દથી મોટા મોટા પદવીધારક સર્વ કાળ
વડે કોળિયો બની ગયા તે સંસારમાં શું શરણરૂપ છે? કોઈ પણ નહિ.
ભાવાર્થઃ — શરણ તેને કહેવાય કે જ્યાં પોતાની રક્ષા થાય, પણ
સંસારમાં તો જેનું શરણ વિચારવામાં આવે તે પોતે જ કાળ પામતાં નાશ
પામી જાય છે, ત્યાં પછી કોનું શરણ?
હવે તેનું દ્રષ્ટાંત કહે છેઃ —
सीहस्स कमे पडिदं सारंगं जह ण रक्खदे को वि ।
तह मिच्चुणा य गहिदं जीवं पि ण रक्खदे को वि ।।२४।।
सिंहस्य क्रमे पतितं सारंगं यथा न रक्षति कः अपि ।
तथा मृत्युना च गृहीतं जीवं अपि न रक्षति कः अपि ।।२४।।
અર્થઃ — જેમ જંગલમાં સિંહના પગ તળે પડેલા હરણને કોઈ
પણ રક્ષણ કરવાવાળું નથી તેમ આ સંસારમાં કાળ વડે ગ્રહાયેલા
પ્રાણીને કોઈ પણ રક્ષણ આપી શકતું નથી.
ભાવાર્થઃ — જંગલમાં સિંહ કોઈ હરણને (પોતાના) પગતળે પકડે
ત્યાં તેનું કોણ રક્ષણ કરે? એ જ પ્રમાણે આ, કાળનું દ્રષ્ટાંત જાણવું.
હવે એ જ અર્થને દ્રઢ કરે છે.