૧૬ ]
[ સ્વામિકાર્ત્તિકેયાનુપ્રેક્ષા
जइ देवो वि य रक्खदि मंतो तंतो य खेत्तपालो य ।
मियमाणं पि मणुस्सं तो मणुया अक्खाया होंति ।।२५।।
यदि देवः अपि च रक्षति मन्त्रः तन्त्रः च क्षेत्रपालः च ।
म्रियमाणं अपि मनुष्यं तत् मनुजाः अक्षयाः भवन्ति ।।२५।।
અર્થઃ — મરણને પ્રાપ્ત થતા મનુષ્યને જો કોઈ દેવ, મંત્ર, તંત્ર,
ક્ષેત્રપાલ અને ઉપલક્ષણથી લોકો જેમને રક્ષક માને છે તે બધાય
રક્ષવાવાળા હોય તો મનુષ્ય અક્ષય થઈ જાય અર્થાત્ કોઈ પણ મરે
જ નહિ.
ભાવાર્થઃ — લોકો જીવવાને માટે દેવપૂજા, મંત્ર-તંત્ર અને ઔષધી
આદિ અનેક ઉપાય કરે છે. પરંતુ નિશ્ચયથી વિચારીએ તો કોઈ જીવતા
(શાશ્વત) દેખાતા નથી, છતાં નિરર્થક જ મોહથી વિકલ્પ ઉપજાવે છે.
હવે એ જ અર્થને ફરીથી દ્રઢ કરે છેઃ —
अइबलिओ वि रउद्दो मरणविहीणो ण दीसदे को वि ।
रक्खिज्जंतो वि सया रक्खपयारेहिं विविहेहिं ।।२६।।
अतिबलिष्ट अपि रौद्रः मरणविहीनः न दृश्यते कः अपि ।
रक्षमाणः अपि सदा रक्षाप्रकारैः विविधैः ।।२६।।
અર્થઃ — આ સંસારમાં અતિ બળવાન, અતિ રૌદ્ર – ભયાનક
અને રક્ષણના અનેક પ્રકારોથી નિરંતર રક્ષણ કરવામાં આવતો હોવા
છતાં પણ મરણ રહિત કોઈ પણ દેખાતો નથી.
ભાવાર્થઃ — ગઢ, કોટ, સુભટ અને શસ્ત્ર આદિ રક્ષાના અનેક
પ્રકારોથી ઉપાય ભલે કરો પરંતુ મરણથી કોઈ બચતું નથી અને સર્વ
ઉપાયો વિફળ (નિષ્ફળ) જાય છે.
હવે પરમાં શરણ કલ્પે તેના અજ્ઞાનને દર્શાવે છેઃ —
एवं पेच्छंतो वि हु गहभूयपिसायजोइणीजक्खं ।
सरणं मण्णइ मूढो सुगाढमिच्छत्तभावादो ।।२७।।