Swami Kartikeyanupreksha (Gujarati). Gatha: 25-27.

< Previous Page   Next Page >


Page 16 of 297
PDF/HTML Page 40 of 321

 

background image
૧૬ ]
[ સ્વામિકાર્ત્તિકેયાનુપ્રેક્ષા
जइ देवो वि य रक्खदि मंतो तंतो य खेत्तपालो य
मियमाणं पि मणुस्सं तो मणुया अक्खाया होंति ।।२५।।
यदि देवः अपि च रक्षति मन्त्रः तन्त्रः च क्षेत्रपालः च
म्रियमाणं अपि मनुष्यं तत् मनुजाः अक्षयाः भवन्ति ।।२५।।
અર્થઃમરણને પ્રાપ્ત થતા મનુષ્યને જો કોઈ દેવ, મંત્ર, તંત્ર,
ક્ષેત્રપાલ અને ઉપલક્ષણથી લોકો જેમને રક્ષક માને છે તે બધાય
રક્ષવાવાળા હોય તો મનુષ્ય અક્ષય થઈ જાય અર્થાત્ કોઈ પણ મરે
જ નહિ.
ભાવાર્થઃલોકો જીવવાને માટે દેવપૂજા, મંત્ર-તંત્ર અને ઔષધી
આદિ અનેક ઉપાય કરે છે. પરંતુ નિશ્ચયથી વિચારીએ તો કોઈ જીવતા
(શાશ્વત) દેખાતા નથી, છતાં નિરર્થક જ મોહથી વિકલ્પ ઉપજાવે છે.
હવે એ જ અર્થને ફરીથી દ્રઢ કરે છેઃ
अइबलिओ वि रउद्दो मरणविहीणो ण दीसदे को वि
रक्खिज्जंतो वि सया रक्खपयारेहिं विविहेहिं ।।२६।।
अतिबलिष्ट अपि रौद्रः मरणविहीनः न दृश्यते कः अपि
रक्षमाणः अपि सदा रक्षाप्रकारैः विविधैः ।।२६।।
અર્થઃ આ સંસારમાં અતિ બળવાન, અતિ રૌદ્રભયાનક
અને રક્ષણના અનેક પ્રકારોથી નિરંતર રક્ષણ કરવામાં આવતો હોવા
છતાં પણ મરણ રહિત કોઈ પણ દેખાતો નથી.
ભાવાર્થઃગઢ, કોટ, સુભટ અને શસ્ત્ર આદિ રક્ષાના અનેક
પ્રકારોથી ઉપાય ભલે કરો પરંતુ મરણથી કોઈ બચતું નથી અને સર્વ
ઉપાયો વિફળ (નિષ્ફળ) જાય છે.
હવે પરમાં શરણ કલ્પે તેના અજ્ઞાનને દર્શાવે છેઃ
एवं पेच्छंतो वि हु गहभूयपिसायजोइणीजक्खं
सरणं मण्णइ मूढो सुगाढमिच्छत्तभावादो ।।२७।।