અશરણાનુપ્રેક્ષા ]
[ ૧૭
एवं पश्यन् अपि अलु ग्रहभूतपिशाचयोगिनीजक्षम् ।
शरणं मन्यते मूढः सुगाढमिथ्यात्वभावात् ।।२७।।
અર્થઃ — એ પ્રમાણે પૂર્વોક્ત પ્રકારથી અશરણતા પ્રત્યક્ષ દેખવા
છતાં પણ મૂઢ મનુષ્ય, તીવ્ર મિથ્યાત્વભાવથી સૂર્યાદિ ગ્રહ, ભૂત, વ્યંતર,
પિશાચ, જોગણી, ચંડિકાદિક અને મણિભદ્રાદિક યક્ષોનું શરણ માને છે.
ભાવાર્થઃ — આ પ્રાણી પ્રત્યક્ષ જાણે છે કે મરણથી કોઈ પણ
રક્ષણ કરવાવાળું નથી છતાં એ, ગ્રહાદિકમાં શરણપણું કલ્પે છે; એ બધું
તીવ્ર મિથ્યાત્વના ઉદયનું માહાત્મ્ય છે.
હવે, મરણ થાય છે તે આયુના ક્ષયથી જ થાય છે એમ કહે છેઃ —
आउक्खएण मरणं आउं दाउं ण सक्कदे को वि ।
तम्हा देविंदो वि य मरणाउ ण रक्खदे को वि ।।२८।।
आयुःक्षयेण मरणं आयुः दातुं न शक्नोति कः अपि ।
तस्मात् देवेन्द्रः अपि च मरणात् न रक्षति कः अपि ।।२८।।
અર્થઃ — આયુકર્મના ક્ષયથી મરણ થાય છે. વળી એ આયુકર્મ
કોઈને કોઈ પણ આપવા સમર્થ નથી, માટે દેવોનો ઇન્દ્ર પણ મરણથી
બચાવી શકતો નથી.
ભાવાર્થઃ — આયુ પૂર્ણ થવાથી મરણ થાય છે અને એ આયુ
કોઈ પણ કોઈને પણ આપવા સમર્થ નથી; તો પછી રક્ષણ કરવાવાળો
કોણ છે? તે વિચારો.
હવે એ જ અર્થને દ્રઢ કરે છેઃ —
अप्पाणं पि चवंतं जइ सक्कदि रक्खिदुं सुरिंदो वि ।
तो किं छंडदि सग्गं सव्वुत्तमभोयसंजुत्तं ।।२९।।
आत्मानं अपि च्यवन्तं यदि शक्नोति रक्षितुं सुरेन्द्रः अपि ।
तत् किं त्यजति स्वर्गं सर्वोत्तमभोगसंयुक्तम् ।।२९।।