Swami Kartikeyanupreksha (Gujarati). Gatha: 28-29.

< Previous Page   Next Page >


Page 17 of 297
PDF/HTML Page 41 of 321

 

અશરણાનુપ્રેક્ષા ]

[ ૧૭
एवं पश्यन् अपि अलु ग्रहभूतपिशाचयोगिनीजक्षम्
शरणं मन्यते मूढः सुगाढमिथ्यात्वभावात् ।।२७।।

અર્થઃએ પ્રમાણે પૂર્વોક્ત પ્રકારથી અશરણતા પ્રત્યક્ષ દેખવા છતાં પણ મૂઢ મનુષ્ય, તીવ્ર મિથ્યાત્વભાવથી સૂયારદિ ગ્રહ, ભૂત, વ્યંતર, પિશાચ, જોગણી, ચંડિકદિક અને મણિભદ્રદિક યક્ષોનું શરણ માને છે.

ભાવાર્થઃઆ પ્રાણી પ્રત્યક્ષ જાણે છે કે મરણથી કોઈ પણ રક્ષણ કરવાવાળું નથી છતાં એ, ગ્રહદિકમાં શરણપણું કલ્પે છે; એ બધું તીવ્ર મિથ્યાત્વના ઉદયનું માહાત્મ્ય છે.

હવે, મરણ થાય છે તે આયુના ક્ષયથી જ થાય છે એમ કહે છેઃ

आउक्खएण मरणं आउं दाउं ण सक्कदे को वि
तम्हा देविंदो वि य मरणाउ ण रक्खदे को वि ।।२८।।
आयुःक्षयेण मरणं आयुः दातुं न शक्नोति कः अपि
तस्मात् देवेन्द्रः अपि च मरणात् न रक्षति कः अपि ।।२८।।

અર્થઃઆયુકર્મના ક્ષયથી મરણ થાય છે. વળી એ આયુકર્મ કોઈને કોઈ પણ આપવા સમર્થ નથી, માટે દેવોનો ઇન્દ્ર પણ મરણથી બચાવી શકતો નથી.

ભાવાર્થઃઆયુ પૂર્ણ થવાથી મરણ થાય છે અને એ આયુ કોઈ પણ કોઈને પણ આપવા સમર્થ નથી; તો પછી રક્ષણ કરવાવાળો કોણ છે? તે વિચારો.

હવે એ જ અર્થને દ્રઢ કરે છેઃ

अप्पाणं पि चवंतं जइ सक्कदि रक्खिदुं सुरिंदो वि
तो किं छंडदि सग्गं सव्वुत्तमभोयसंजुत्तं ।।२९।।
आत्मानं अपि च्यवन्तं यदि शक्नोति रक्षितुं सुरेन्द्रः अपि
तत् किं त्यजति स्वर्गं सर्वोत्तमभोगसंयुक्तम् ।।२९।।