Swami Kartikeyanupreksha (Gujarati). Gatha: 30-31.

< Previous Page   Next Page >


Page 18 of 297
PDF/HTML Page 42 of 321

 

background image
૧૮ ]
[ સ્વામિકાર્ત્તિકેયાનુપ્રેક્ષા
અર્થઃદેવોનો ઇન્દ્ર પણ પોતાને ચવતો (મરતો) થકો રાખવાને
સમર્થ હોત તો સર્વોત્તમ ભોગો સહિત જે સ્વર્ગનો વાસ તેને તે શા
માટે છોડત?
ભાવાર્થઃસર્વ ભોગોનું સ્થળ પોતાના વશ ચાલતું હોય તો તેને
કોણ છોડે?
હવે પરમાર્થ (સાચું) શરણ દર્શાવે છેઃ
दंसणणाणचरित्तं सरणं सेवेह परमसद्धाए
अण्णं किं पि ण सरणं संसारे संसरंताणं ।।३०।।
दर्शनज्ञानचारित्रं शरणं सेवध्वं परमश्रद्धया
अन्यत् किं अपि न शरणं संसारे संसरताम् ।।३०।।
અર્થઃહે ભવ્ય! તું પરમ શ્રદ્ધાપૂર્વક દર્શનજ્ઞાનચારિત્રસ્વરૂપ
(આત્માના) શરણને સેવન કર. આ સંસારમાં પરિભ્રમણ કરતા જીવોને
અન્ય કોઈ પણ શરણ નથી.
ભાવાર્થઃસમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર પોતાનું સ્વરૂપ છે અને એ
જ પરમાર્થરૂપ (વાસ્તવિકસાચું) શરણ છે, અન્ય સર્વ અશરણ છે.
નિશ્ચય શ્રદ્ધાપૂર્વક એ જ શરણને પકડોએમ અહીં ઉપદેશ છે.
હવે એ જ વાતને દ્રઢ કરે છેઃ
अप्पा णं पि य सरणं खमादिभावेहिं परिणदो होदि
तिव्वकसायाविट्ठो अप्पाणं हणदि अप्पेण ।।३१।।
आत्मा ननु अपि च शरणं क्षमादिभावैः परिणतः भवति
तीव्रकषायाविष्टः आत्मानं हिनस्ति आत्मना ।।३१।।
અર્થઃઉત્તમ ક્ષમાદિ સ્વભાવે પરિણત આત્મા જ ખરેખર
શરણ છે; પણ જે તીવ્રકષાયયુક્ત થાય છે તે પોતા વડે પોતાને જ
હણે છે.