૧૮ ]
[ સ્વામિકાર્ત્તિકેયાનુપ્રેક્ષા
અર્થઃ — દેવોનો ઇન્દ્ર પણ પોતાને ચવતો (મરતો) થકો રાખવાને
સમર્થ હોત તો સર્વોત્તમ ભોગો સહિત જે સ્વર્ગનો વાસ તેને તે શા
માટે છોડત?
ભાવાર્થઃ — સર્વ ભોગોનું સ્થળ પોતાના વશ ચાલતું હોય તો તેને
કોણ છોડે?
હવે પરમાર્થ (સાચું) શરણ દર્શાવે છેઃ —
दंसणणाणचरित्तं सरणं सेवेह परमसद्धाए ।
अण्णं किं पि ण सरणं संसारे संसरंताणं ।।३०।।
दर्शनज्ञानचारित्रं शरणं सेवध्वं परमश्रद्धया ।
अन्यत् किं अपि न शरणं संसारे संसरताम् ।।३०।।
અર્થઃ — હે ભવ્ય! તું પરમ શ્રદ્ધાપૂર્વક દર્શનજ્ઞાનચારિત્રસ્વરૂપ
(આત્માના) શરણને સેવન કર. આ સંસારમાં પરિભ્રમણ કરતા જીવોને
અન્ય કોઈ પણ શરણ નથી.
ભાવાર્થઃ — સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર પોતાનું સ્વરૂપ છે અને એ
જ પરમાર્થરૂપ (વાસ્તવિક – સાચું) શરણ છે, અન્ય સર્વ અશરણ છે.
નિશ્ચય શ્રદ્ધાપૂર્વક એ જ શરણને પકડો – એમ અહીં ઉપદેશ છે.
હવે એ જ વાતને દ્રઢ કરે છેઃ —
अप्पा णं पि य सरणं खमादिभावेहिं परिणदो होदि ।
तिव्वकसायाविट्ठो अप्पाणं हणदि अप्पेण ।।३१।।
आत्मा ननु अपि च शरणं क्षमादिभावैः परिणतः भवति ।
तीव्रकषायाविष्टः आत्मानं हिनस्ति आत्मना ।।३१।।
અર્થઃ — ઉત્તમ ક્ષમાદિ સ્વભાવે પરિણત આત્મા જ ખરેખર
શરણ છે; પણ જે તીવ્રકષાયયુક્ત થાય છે તે પોતા વડે પોતાને જ
હણે છે.