Swami Kartikeyanupreksha (Gujarati). Gatha: 32-33 3. Sansaranupreksha.

< Previous Page   Next Page >


Page 19 of 297
PDF/HTML Page 43 of 321

 

સંસારાનુપ્રેક્ષા ]

[ ૧૯

ભાવાર્થઃપરમાર્થથી વિચારવામાં આવે તો પોતાને પોતે જ રક્ષવાવાળો છે અને પોતે જ ઘાતવાવાળો છે. ક્રોધદિરૂપ ભાવ કરે છે ત્યારે શુદ્ધ ચૈતન્યનો ઘાત થાય છે તથા ક્ષમદિરૂપ ભાવ કરે છે ત્યારે પોતાની રક્ષા થાય છે; અને એ જ (ક્ષમદિ) ભાવોથી, જન્મમરણ રહિત થઈને, અવિનાશી પદ પ્રાપ્ત થાય છે.

વસ્તુસ્વભાવવિચારથી, શરણ આપકો આપ;
વ્યવહારે પંચ પરમગુરુ, અવર સકલ સંતાપ.
ઇતિ અશરણાનુપ્રેક્ષા સમાપ્ત.
v
૩. સંસારાનુપ્રેક્ષા

અહીં પ્રથમ બે ગાથાઓ વડે સંસારનું સામાન્ય સ્વરૂપ કહે છેઃ

एक्कं चयदि सरीरं अण्णं गिण्हेदि णवणवं जीवो
पुणु पुणु अण्णं अण्णं गिण्हदि मुंचेदि बहुवारं ।।३२।।
एवं जं संसरणं णाणादेहेसु हवदि जीवस्स
सो संसारो भण्णदि मिच्छकसाएहिं जुत्तस्स ।।३३।।
एकं त्यजति शरीरं अन्यत् गृह्णति नवं नवं जीवः
पुनः पुनः अन्यत् अन्यत् गृह्णति मुंचति बहुवारम् ।।३२।।
एवं यत् संसरणं नानादेहेषु भवति जीवस्य
सः संसारः भण्यते मिथ्याकषायैः युक्तस्य ।।३३।।

અર્થઃમિથ્યાત્વ અર્થાત્ વસ્તુનું સર્વથા એકાંતરૂપ શ્રદ્ધાન કરવું અને કષાય એટલે ક્રોધ-માન-માયા-લોભએ સહિત આ જીવને અનેક