સંસારાનુપ્રેક્ષા ]
અર્થઃ — અસુરકુમારદેવોથી ઉપજાવેલાં દુઃખ, (પોતાના) શરીરથી જ ઉત્પન્ન થયેલાં દુઃખ, મનથી અને અનેક પ્રકારનાં ક્ષેત્રથી ઉત્પન્ન થયેલાં દુઃખ તથા પરસ્પર કરેલાં દુઃખ — એ પ્રમાણે પાંચ પ્રકારનાં દુઃખ છે.
ભાવાર્થઃ — ત્રીજા નરક સુધી તો અસુરકુમારદેવો માત્ર કુતૂહલથી જાય છે અને નારકીઓને જોઈ તેમને પરસ્પર લડાવે છે – અનેક પ્રકારથી દુઃખી કરે છે; વળી એ નારકીઓનાં શરીર જ પાપના ઉદયથી સ્વયમેવ અનેક રોગયુક્ત, બૂરાં, ઘૃણાકારી અને દુઃખમય હોય છે, તેમનાં ચિત્ત જ મહાક્રૂર અને દુઃખરૂપ જ હોય છે; નરકનું ક્ષેત્ર મહાશીત, ઉષ્ણ, દુર્ગંધદિ અનેક ઉપદ્રવ સહિત છે; તથા પરસ્પર વેરના સંસ્કારથી (આપસ-આપસમાં) છેદન, ભેદન, મારણ, તાડન અને કુંભીપાક વગેરે કરે છે; ત્યાંનાં દુઃખ ઉપમારહિત છે.
હવે એ જ દુઃખને વિશેષ (ભેદ) કહે છેઃ —
અર્થઃ — જ્યાં શરીરને તલતલ પ્રમાણ છેદવામાં આવે છે, તેના તલતલ જેટલા શકલ અર્થાત્ ખંડને પણ ભેદવામાં આવે છે, વજ્રગ્નિમાં પકાવવામાં આવે છે તથા પરુના કુંડમાં નાખવામાં આવે છે.