Swami Kartikeyanupreksha (Gujarati). Gatha: 38-39.

< Previous Page   Next Page >


Page 22 of 297
PDF/HTML Page 46 of 321

 

૨૨ ][ સ્વમિકર્ત્તિકેયાનુપ્રેક્ષા

इत्येवमदिदुःखं यत् नरके सहते एकसमये
तत्सकलं वणरयितुं न शक्नोति सहस्रजिह्वः अपि ।।३७।।

અર્થઃએ પ્રમાણે પૂર્વ ગાથામાં કહ્યાં તેને માંડીને જે દુઃખો તે નરકમાં એક કાળમાં જીવ સહન કરે છે તેનું કથન કરવાને, જેને હજાર જીભ હોય તે પણ સમર્થ થતો નથી.

ભાવાર્થઃઆ ગાથામાં નરકનાં દુઃખોનું વચન અગોચરપણું કહ્યું છે.

હવે નરકનું ક્ષેત્ર તથા એ નારકીઓના પરિણામ દુઃખમય જ છે તે કહે છેઃ

सव्वं पि होदि णरये खेत्तसहावेण दुक्खदं असुहं
कुविदा वि सव्वकालं अण्णोण्णं होंति णेरइया ।।३८।।
सर्वं अपि भवति नरके क्षेत्रस्वभावेन दुःखदं अशुभम्
कुपिताः अपि सर्वकालं अन्योऽन्यं भवन्ति नैरयिकाः ।।३८।।

અર્થઃનરકમાં ક્ષેત્રસ્વભાવથી જ બધુંય દુઃખદાયક છે. અશુભ છે તથા નારકીજીવ સદાકાળ પરસ્પર ક્રુધિત છે.

ભાવાર્થઃક્ષેત્ર તો સ્વભાવથી દુઃખરૂપ છે જ, પરંતુ નારકી (જીવો) પરસ્પર ક્રોધી થતા થકા એકબીજાને મારે છે. એ પ્રમાણે તેઓ નિરંતર દુઃખી જ રહે છે.

अण्णभवे जो सुयणो सो वि य णरए हणेइ अइकुविदो
एवं तिव्वविवागं बहुकालं विसहदे दुःक्खं ।।३९।।
अन्यभवे यः सुजनः सः अपि च नरके हन्ति अतिकुपितः
एवं तीव्र विपाकं बहुकालं विषहते दुःखम् ।।३९।।

અર્થઃપૂર્વભવમાં જે સ્વજનકુટુંબી હતો તે પણ આ નરકમાં ક્રોધી બનીને ઘાત કરે છે. એ પ્રમાણે તીવ્ર છે વિપાક જેમનો એવાં દુઃખો ઘણા કાળ સુધી નારકીજીવો સહન કરે છે.