૨૨ ][ સ્વમિકર્ત્તિકેયાનુપ્રેક્ષા
અર્થઃ — એ પ્રમાણે પૂર્વ ગાથામાં કહ્યાં તેને માંડીને જે દુઃખો તે નરકમાં એક કાળમાં જીવ સહન કરે છે તેનું કથન કરવાને, જેને હજાર જીભ હોય તે પણ સમર્થ થતો નથી.
ભાવાર્થઃ — આ ગાથામાં નરકનાં દુઃખોનું વચન અગોચરપણું કહ્યું છે.
હવે નરકનું ક્ષેત્ર તથા એ નારકીઓના પરિણામ દુઃખમય જ છે તે કહે છેઃ —
અર્થઃ — નરકમાં ક્ષેત્રસ્વભાવથી જ બધુંય દુઃખદાયક છે. અશુભ છે તથા નારકીજીવ સદાકાળ પરસ્પર ક્રુધિત છે.
ભાવાર્થઃ — ક્ષેત્ર તો સ્વભાવથી દુઃખરૂપ છે જ, પરંતુ નારકી (જીવો) પરસ્પર ક્રોધી થતા થકા એકબીજાને મારે છે. એ પ્રમાણે તેઓ નિરંતર દુઃખી જ રહે છે.
અર્થઃ — પૂર્વભવમાં જે સ્વજન – કુટુંબી હતો તે પણ આ નરકમાં ક્રોધી બનીને ઘાત કરે છે. એ પ્રમાણે તીવ્ર છે વિપાક જેમનો એવાં દુઃખો ઘણા કાળ સુધી નારકીજીવો સહન કરે છે.