Swami Kartikeyanupreksha (Gujarati). Gatha: 40-42.

< Previous Page   Next Page >


Page 23 of 297
PDF/HTML Page 47 of 321

 

background image
ભાવાર્થઃએવાં દુઃખો સાગરોપમ (કાળ) સુધી સહન કરે છે
તો પણ આયુષ્ય પૂર્ણ કર્યા વિના ત્યાંથી નીકળવું બનતું નથી.
હવે તિર્યંચગતિનાં દુઃખોને સાડાચાર ગાથાઓ દ્વારા કહે છેઃ
તિર્યંચગતિનાં દુઃખો
तत्तो णीसरिदूणं जायदि तिरिएसु बहुवियप्पेसु
तत्थ वि पावदि दुःखं गब्भे वि य छेयणादीयं ।।४०।।
ततः निःसृत्य जायते तिर्यक्षु बहुविकल्पेषु
तत्र अपि प्राप्नोति दुःखं गर्भे अपि च छेदनादिकम् ।।४०।।
અર્થઃએ નરકમાંથી નીકળીને અનેક પ્રકારના ભેદોવાળી જે
તિર્યંચગતિ તેમાં (જીવ) ઉત્પન્ન થાય છે; ત્યાં પણ ગર્ભમાં તે દુઃખ
પામે છે.
‘अपि’ શબ્દથી સમ્મૂર્છન થઈ છેદનાદિકનાં દુઃખ પામે છે.
तिरिएहिं खज्जमाणो दुट्ठमणुस्सेहिं हण्णमाणो वि
सव्वत्थ वि संतट्ठो भयदुक्खं विसहदे भीमं ।।४१।।
तिर्यग्भिः खाद्यमानः दुष्टमनुष्यैः हन्यमानः अपि
सर्वत्र अपि संत्रस्तः भयदुःखं विषहते भीमम् ।।४१।।
અર્થઃએ તિર્યંચગતિમાં જીવ, સિંહવાઘ આદિ વડે ભક્ષણ
થતો તથા દુષ્ટ મનુષ્ય (મ્લેચ્છ, પારધી, માછીમાર આદિ) વડે માર્યો
જતો થકો સર્વ ઠેકાણે ત્રાસયુક્ત બની રૌદ્ર
ભયાનક દુઃખોને અતિશય
સહન કરે છે.
अण्णोण्णं खज्जंता तिरिया पावंति दारुणं दुक्खं
माया वि जत्थ भक्खदि अण्णो को तत्थ रक्खेदि ।।४२।।
अन्योऽन्यं खादन्तः तिर्यञ्चः प्राप्नुवन्ति दारुणं दुःखम्
माता अपि यत्र भक्षति अन्यः कः तत्र रक्षति ।।४२।।
અર્થઃએ તિર્યંચગતિમાં જીવ પરસ્પર ભક્ષણ થતા થકા ઉત્કૃષ્ટ
સંસારાનુપ્રેક્ષા ]
[ ૨૩