દુઃખ પામે છે, તે આને ખાય અને આ તેને ખાય. જ્યાં જેના ગર્ભમાં
ઉત્પન્ન થયો છે એવી માતા પણ પુત્રને ભક્ષણ કરી જાય, તો પછી
અન્ય કોણ રક્ષણ કરે?
तिव्वतिसाए तिसिदो तिव्वविभुक्खाइ भुक्खिदो संतो ।
तिव्वं पावदि दुक्खं उयरहुयासेण डज्झंतो ।।४३।।
तीव्रतृषया तृषितः तीव्रबुभुक्षया भुक्षितः सन् ।
तीव्रं प्राप्नोति दुःखं उदरहुताशेनः दह्यमानः ।।४३।।
અર્થઃ — એ તિર્યંચગતિમાં જીવ તીવ્ર તરસથી તૃષાતુર તથા તીવ્ર
ભૂખથી ક્ષુધાતુર થયો થકો તેમ જ ઉદરાગ્નિથી બળતો થકો (ઘણાં) તીવ્ર
દુઃખ પામે છે.
હવે એ કથનને સંકોચે છેઃ —
एवं बहुप्पयारं दुक्खं विसहेदि तिरियजोणीसु ।
तत्तो णीसरिदूणं लद्धि-अपुण्णो णरो होदि ।।४४।।
एवं बहुप्रकारं दुःखं विषहते तिर्यग्योनिषु ।
ततः निःसृत्य लब्धि-अपूर्णः नरः भवति ।।४४।।
અર્થઃ — એ પ્રમાણે પૂર્વોક્ત પ્રકારથી તિર્યંચયોનિમાં જીવ અનેક
પ્રકારથી દુઃખ પામે છે અને તેને સહે છે. એ તિર્યંચગતિમાંથી નીકળીને
(કદાચિત્) મનુષ્ય થાય તો કેવો થાય? લબ્ધિઅપર્યાપ્ત કે જ્યાં પર્યાપ્તિ
જ પૂરી ન થાય.
હવે મનુષ્યગતિનાં જે દુઃખો છે તેને બાર ગાથાઓ દ્વારા કહે છે.
ત્યાં પ્રથમ જ ગર્ભમાં ઊપજે તે અવસ્થા કહે છેઃ —
❈ મનુષ્યગતિનાં દુઃખો ❈
अह गभ्भे वि य जायदि तत्थ वि णिवडीकयंगपच्चंगो ।
विसहदि तिव्वं दुक्खं णिग्गममाणो वि जोणीदो ।।४५।।
૨૪ ]
[ સ્વામિકાર્ત્તિકેયાનુપ્રેક્ષા