Swami Kartikeyanupreksha (Gujarati). Gatha: 43-45.

< Previous Page   Next Page >


Page 24 of 297
PDF/HTML Page 48 of 321

 

background image
દુઃખ પામે છે, તે આને ખાય અને આ તેને ખાય. જ્યાં જેના ગર્ભમાં
ઉત્પન્ન થયો છે એવી માતા પણ પુત્રને ભક્ષણ કરી જાય, તો પછી
અન્ય કોણ રક્ષણ કરે?
तिव्वतिसाए तिसिदो तिव्वविभुक्खाइ भुक्खिदो संतो
तिव्वं पावदि दुक्खं उयरहुयासेण डज्झंतो ।।४३।।
तीव्रतृषया तृषितः तीव्रबुभुक्षया भुक्षितः सन्
तीव्रं प्राप्नोति दुःखं उदरहुताशेनः दह्यमानः ।।४३।।
અર્થઃએ તિર્યંચગતિમાં જીવ તીવ્ર તરસથી તૃષાતુર તથા તીવ્ર
ભૂખથી ક્ષુધાતુર થયો થકો તેમ જ ઉદરાગ્નિથી બળતો થકો (ઘણાં) તીવ્ર
દુઃખ પામે છે.
હવે એ કથનને સંકોચે છેઃ
एवं बहुप्पयारं दुक्खं विसहेदि तिरियजोणीसु
तत्तो णीसरिदूणं लद्धि-अपुण्णो णरो होदि ।।४४।।
एवं बहुप्रकारं दुःखं विषहते तिर्यग्योनिषु
ततः निःसृत्य लब्धि-अपूर्णः नरः भवति ।।४४।।
અર્થઃએ પ્રમાણે પૂર્વોક્ત પ્રકારથી તિર્યંચયોનિમાં જીવ અનેક
પ્રકારથી દુઃખ પામે છે અને તેને સહે છે. એ તિર્યંચગતિમાંથી નીકળીને
(કદાચિત્) મનુષ્ય થાય તો કેવો થાય? લબ્ધિઅપર્યાપ્ત કે જ્યાં પર્યાપ્તિ
જ પૂરી ન થાય.
હવે મનુષ્યગતિનાં જે દુઃખો છે તેને બાર ગાથાઓ દ્વારા કહે છે.
ત્યાં પ્રથમ જ ગર્ભમાં ઊપજે તે અવસ્થા કહે છેઃ
મનુષ્યગતિનાં દુઃખો
अह गभ्भे वि य जायदि तत्थ वि णिवडीकयंगपच्चंगो
विसहदि तिव्वं दुक्खं णिग्गममाणो वि जोणीदो ।।४५।।
૨૪ ]
[ સ્વામિકાર્ત્તિકેયાનુપ્રેક્ષા