Swami Kartikeyanupreksha (Gujarati). Gatha: 46-47.

< Previous Page   Next Page >


Page 25 of 297
PDF/HTML Page 49 of 321

 

background image
अथ गर्भे अपि च जायते तत्र अपि निवडीकृत-अङ्गप्रत्यङ्गः
विषहते तीव्रं दुःखं निर्गच्छन् अपि योनितः ।।४५।।
અર્થઃઅથવા ગર્ભમાં ઊપજે તો ત્યાં પણ હસ્ત-પાદાદિ અંગ
અને આંગળાં આદિ પ્રત્યંગ એ બધા એકઠા સંકુચિત રહ્યા થકા (જીવ)
દુઃખ સહે છે અને ત્યાંથી યોનિદ્વારે નીકળતાં તે તીવ્ર દુઃખને સહન કરે
છે.
વળી તે કેવો થાય, તે કહે છેઃ
बालो वि पियरचतो परउच्छिट्ठेण वड्ढदे दुहिदो
एवं जायणसीलो गमेदि कालं महादुक्खं ।।४६।।
बालः अपि पितृत्यक्तः परोच्छिष्टेन वर्धते दुःखितः
एवं याचनशीलः गमयति कालं महादुःखम् ।।४६।।
અર્થઃ ગર્ભમાંથી નીકળ્યા પછી બાળ અવસ્થામાં જ માત-
પિતા મરી જાય તો દુઃખી થતો થકો પારકી ઉચ્છિષ્ટ વડે જીવનનિર્વાહ
કરતો તથા માગવાનો જ છે સ્વભાવ જેનો એવો તે, મહાદુઃખે કાળ
નિર્ગમન કરે છે.
વળી કહે છે કે એ બધું પાપનું ફળ છેઃ
पावेण जणो एसो दुक्कम्मवसेण जायदे सव्वो
पुणरवि करेदि पावं ण य पुण्णं को वि अज्जेदि ।।४७।।
पापेन जनः एषः दुःकर्मवशेन जायते सर्वः
पुनः अपि करोति पापं न च पुण्यं कः अपि अर्जयति ।।४७।।
અર્થઃઆ લોકના બધા મનુષ્યો પાપના ઉદયથી
અશાતાવેદનીય, નીચગોત્ર અને અશુભનામઆયુ આદિ દુષ્કર્મના વશે
એવાં દુઃખો સહન કરે છે તોપણ પાછા પાપ જ કરે છે, પણ પૂજા,
દાન, વ્રત, તપ અને ધ્યાનાદિ છે લક્ષણ જેનું એવાં પુણ્યને ઉપજાવતા
નથી એ મોટું અજ્ઞાન છે.
સંસારાનુપ્રેક્ષા ]
[ ૨૫