अथ गर्भे अपि च जायते तत्र अपि निवडीकृत-अङ्गप्रत्यङ्गः ।
विषहते तीव्रं दुःखं निर्गच्छन् अपि योनितः ।।४५।।
અર્થઃ — અથવા ગર્ભમાં ઊપજે તો ત્યાં પણ હસ્ત-પાદાદિ અંગ
અને આંગળાં આદિ પ્રત્યંગ એ બધા એકઠા સંકુચિત રહ્યા થકા (જીવ)
દુઃખ સહે છે અને ત્યાંથી યોનિદ્વારે નીકળતાં તે તીવ્ર દુઃખને સહન કરે
છે.
વળી તે કેવો થાય, તે કહે છેઃ —
बालो वि पियरचतो परउच्छिट्ठेण वड्ढदे दुहिदो ।
एवं जायणसीलो गमेदि कालं महादुक्खं ।।४६।।
बालः अपि पितृत्यक्तः परोच्छिष्टेन वर्धते दुःखितः ।
एवं याचनशीलः गमयति कालं महादुःखम् ।।४६।।
અર્થઃ — ગર્ભમાંથી નીકળ્યા પછી બાળ અવસ્થામાં જ માત-
પિતા મરી જાય તો દુઃખી થતો થકો પારકી ઉચ્છિષ્ટ વડે જીવનનિર્વાહ
કરતો તથા માગવાનો જ છે સ્વભાવ જેનો એવો તે, મહાદુઃખે કાળ
નિર્ગમન કરે છે.
વળી કહે છે કે એ બધું પાપનું ફળ છેઃ —
पावेण जणो एसो दुक्कम्मवसेण जायदे सव्वो ।
पुणरवि करेदि पावं ण य पुण्णं को वि अज्जेदि ।।४७।।
पापेन जनः एषः दुःकर्मवशेन जायते सर्वः ।
पुनः अपि करोति पापं न च पुण्यं कः अपि अर्जयति ।।४७।।
અર્થઃ — આ લોકના બધા મનુષ્યો પાપના ઉદયથી
અશાતાવેદનીય, નીચગોત્ર અને અશુભનામ – આયુ આદિ દુષ્કર્મના વશે
એવાં દુઃખો સહન કરે છે તોપણ પાછા પાપ જ કરે છે, પણ પૂજા,
દાન, વ્રત, તપ અને ધ્યાનાદિ છે લક્ષણ જેનું એવાં પુણ્યને ઉપજાવતા
નથી એ મોટું અજ્ઞાન છે.
સંસારાનુપ્રેક્ષા ]
[ ૨૫