૨૬ ][ સ્વમિકર્ત્તિકેયાનુપ્રેક્ષા
અર્થઃ — સમ્યગ્દ્રષ્ટિ અર્થાત્ યથાર્થ શ્રદ્ધાવાન, મુનિ-શ્રાવકનાં વ્રતો સહિત, ઉપશમભાવ અર્થાત્ મંદકષાય પરિણામી, નિંદન અર્થાત્ પોતાના દોષોને પોતે યાદ કરી પશ્ચાતાપ કરનાર, અને ગર્હણ અર્થાત્ પોતાના દોષને ગુરુજન પાસે વિનયથી કહેનાર; એ પ્રમાણે નિંદા-ગર્હાસંયુક્ત જીવ પુણ્યપ્રકૃતિઓેને ઉપજાવે છે. પણ એવા વિરલા જ હોય છે.
હવે કહે છે કે પુણ્યયુક્તને પણ ઇષ્ટ-વિયોગદિ જોવામાં આવે છે.
અર્થઃ — પુણ્યોદયયુક્ત પુરુષને પણ ઇષ્ટવિયોગ અને અનિષ્ટ સંયોગ થતો જોવામાં આવે છે. જુઓ, અભિમાનયુક્ત ભરત ચક્રવર્તી પણ પોતાના નાના ભાઈ બાહુબલીથી હાર પામ્યા.
ભાવાર્થઃ — કોઈ જાણે કે ‘જેને મહાન પુણ્યનો ઉદય છે તેને તો સુખ છે’, પણ સંસારમાં તો સુખ કોઈને પણ હોતું નથી. ભરત ચક્રવર્તી જેવા પણ અપમાનદિકથી દુઃખી થયા તો બીજાઓની વાત જ શી કહેવી?
હવે એ જ અર્થને દ્રઢ કરે છેઃ —