Swami Kartikeyanupreksha (Gujarati). Gatha: 48-50.

< Previous Page   Next Page >


Page 26 of 297
PDF/HTML Page 50 of 321

 

૨૬ ][ સ્વમિકર્ત્તિકેયાનુપ્રેક્ષા

विरलो अज्जदि पुण्णं सम्मदिट्ठी वएहिं संजुत्तो
उवसमभावे सहिदो णिंदणगरहहिं संजुत्तो ।।४८।।
विरलः अर्जयति पुण्यं सम्यग्दृष्टिः व्रतैः संयुक्तः
उपशमभावेन सहितः निन्दनगर्हाभ्यां संयुक्तः ।।४८।।

અર્થઃસમ્યગ્દ્રષ્ટિ અર્થાત્ યથાર્થ શ્રદ્ધાવાન, મુનિ-શ્રાવકનાં વ્રતો સહિત, ઉપશમભાવ અર્થાત્ મંદકષાય પરિણામી, નિંદન અર્થાત્ પોતાના દોષોને પોતે યાદ કરી પશ્ચાતાપ કરનાર, અને ગર્હણ અર્થાત્ પોતાના દોષને ગુરુજન પાસે વિનયથી કહેનાર; એ પ્રમાણે નિંદા-ગર્હાસંયુક્ત જીવ પુણ્યપ્રકૃતિઓેને ઉપજાવે છે. પણ એવા વિરલા જ હોય છે.

હવે કહે છે કે પુણ્યયુક્તને પણ ઇષ્ટ-વિયોગદિ જોવામાં આવે છે.

पुण्णजुदस्स वि दीसदि इट्ठविओयं अणिट्ठसंजोयं
भरहो वि सहिमाणो परिज्जओ लहुयभाएण ।।४९।।
पुण्ययुतस्य अपि दृश्यते इष्टवियोगः अनिष्टसंयोगः
भरतः अपि सभिमानः परजितः लघुकभ्रात्रा ।।४९।।

અર્થઃપુણ્યોદયયુક્ત પુરુષને પણ ઇષ્ટવિયોગ અને અનિષ્ટ સંયોગ થતો જોવામાં આવે છે. જુઓ, અભિમાનયુક્ત ભરત ચક્રવર્તી પણ પોતાના નાના ભાઈ બાહુબલીથી હાર પામ્યા.

ભાવાર્થઃકોઈ જાણે કે ‘જેને મહાન પુણ્યનો ઉદય છે તેને તો સુખ છે’, પણ સંસારમાં તો સુખ કોઈને પણ હોતું નથી. ભરત ચક્રવર્તી જેવા પણ અપમાનદિકથી દુઃખી થયા તો બીજાઓની વાત જ શી કહેવી?

હવે એ જ અર્થને દ્રઢ કરે છેઃ

सयलट्ठविसयजोओ बहुपुण्णस्स वि ण सव्वहा होदि
तं पुण्णं पि ण कस्स वि सव्वं जेणिच्छिदं लहदि ।।५०।।