Swami Kartikeyanupreksha (Gujarati). Gatha: 51-53.

< Previous Page   Next Page >


Page 27 of 297
PDF/HTML Page 51 of 321

 

background image
सकलार्थविषययोगः बहुपुण्यस्य अपि न सर्वथा भवति
तत् पुण्यं अपि न कस्य अपि सर्वं येन ईप्सितं लभते ।।५०।।
અર્થઃઆ સંસારમાં સમસ્ત પદાર્થોનો, જે વિષય અર્થાત્
ભોગ્ય વસ્તુ છે તે સર્વનો, યોગ મોટા પુણ્યવાનને પણ સર્વાંગપણે મળતો
નથી. કોઈને એવું પુણ્ય જ નથી કે જે વડે બધાય મનોવાંચ્છિત
(પદાર્થો) મળે.
ભાવાર્થઃમોટા પુણ્યવાનને પણ વાંચ્છિત વસ્તુમાં કાંઈ ને કાંઈ
ઓછપ રહે છે, સર્વ મનોરથ તો કોઈના પણ પૂર્ણ થતા નથી; તો પછી
(કોઈ જીવ) સંસારમાં સર્વાંગ સુખી કેવી રીતે થાય?
कस्स वि णत्थि कलत्तं अहव कलत्तं पुत्तसंपत्ती
अह तेसिं संपत्ती तह वि सरोओ हवे देहो ।।५१।।
कस्य अपि नास्ति कलत्रं अथवा कलत्रं न पुत्रसम्प्राप्तिः
अथ तेषां सम्प्राप्तिः तथापि सरोगः भवेत् देहः ।।५१।।
અર્થઃકોઈ મનુષ્યને તો સ્ત્રી નથી, કોઈને જો સ્ત્રી હોય તો પુત્રની
પ્રાપ્તિ નથી તથા કોઈને પુત્રની પ્રાપ્તિ છે તો શરીર રોગયુક્ત છે.
अह णीरोओ देहो तो धणधण्णाण णेय संपत्ति
अह धणधण्णं होदि हु तो मरणं झत्ति ढुक्केदि ।।५२।।
अथ नीरोगः देहः तत् धनधान्यानां नैव सम्प्राप्तिः
अथ धनधान्यं भवति खलु तत् मरणं झगिति ढौकते ।।५२।।
અર્થઃજો કોઈ નીરોગ દેહ હોય તો ધન-ધાન્યની પ્રાપ્તિ હોતી
નથી અને જો ધન-ધાન્યની પ્રાપ્તિ થઈ જાય છે તો (કદાચિત્) મરણ
પણ થઈ જાય છે.
कस्स वि दुठ्ठकलत्तं कस्स वि दुव्वसणवसणिओ पुत्तो
कस्स वि अरिसमबंधू कस्स वि दुहिदा दु दुच्चरिया ।।५३।।
સંસારાનુપ્રેક્ષા ]
[ ૨૭