सकलार्थविषययोगः बहुपुण्यस्य अपि न सर्वथा भवति ।
तत् पुण्यं अपि न कस्य अपि सर्वं येन ईप्सितं लभते ।।५०।।
અર્થઃ — આ સંસારમાં સમસ્ત પદાર્થોનો, જે વિષય અર્થાત્
ભોગ્ય વસ્તુ છે તે સર્વનો, યોગ મોટા પુણ્યવાનને પણ સર્વાંગપણે મળતો
નથી. કોઈને એવું પુણ્ય જ નથી કે જે વડે બધાય મનોવાંચ્છિત
(પદાર્થો) મળે.
ભાવાર્થઃ — મોટા પુણ્યવાનને પણ વાંચ્છિત વસ્તુમાં કાંઈ ને કાંઈ
ઓછપ રહે છે, સર્વ મનોરથ તો કોઈના પણ પૂર્ણ થતા નથી; તો પછી
(કોઈ જીવ) સંસારમાં સર્વાંગ સુખી કેવી રીતે થાય?
कस्स वि णत्थि कलत्तं अहव कलत्तं पुत्तसंपत्ती ।
अह तेसिं संपत्ती तह वि सरोओ हवे देहो ।।५१।।
कस्य अपि नास्ति कलत्रं अथवा कलत्रं न पुत्रसम्प्राप्तिः ।
अथ तेषां सम्प्राप्तिः तथापि सरोगः भवेत् देहः ।।५१।।
અર્થઃ — કોઈ મનુષ્યને તો સ્ત્રી નથી, કોઈને જો સ્ત્રી હોય તો પુત્રની
પ્રાપ્તિ નથી તથા કોઈને પુત્રની પ્રાપ્તિ છે તો શરીર રોગયુક્ત છે.
अह णीरोओ देहो तो धणधण्णाण णेय संपत्ति ।
अह धणधण्णं होदि हु तो मरणं झत्ति ढुक्केदि ।।५२।।
अथ नीरोगः देहः तत् धनधान्यानां नैव सम्प्राप्तिः ।
अथ धनधान्यं भवति खलु तत् मरणं झगिति ढौकते ।।५२।।
અર્થઃ — જો કોઈ નીરોગ દેહ હોય તો ધન-ધાન્યની પ્રાપ્તિ હોતી
નથી અને જો ધન-ધાન્યની પ્રાપ્તિ થઈ જાય છે તો (કદાચિત્) મરણ
પણ થઈ જાય છે.
कस्स वि दुठ्ठकलत्तं कस्स वि दुव्वसणवसणिओ पुत्तो ।
कस्स वि अरिसमबंधू कस्स वि दुहिदा दु दुच्चरिया ।।५३।।
સંસારાનુપ્રેક્ષા ]
[ ૨૭