Swami Kartikeyanupreksha (Gujarati). Gatha: 54-56.

< Previous Page   Next Page >


Page 28 of 297
PDF/HTML Page 52 of 321

 

background image
कस्य अपि दुष्टकलत्रं कस्य अपि दुर्व्यसनव्यसनिकः पुत्रः
कस्य अपि अरिसमबन्धुः कस्य अपि दुहिता अपि दुश्चरिता ।।५३।।
અર્થઃઆ મનુષ્યભવમાં કોઈને સ્ત્રી દુરાચરણી છે, કોઈને પુત્ર
જુગાર આદિ દુર્વ્યસનોમાં લવલીન છે, કોઈને શત્રુ સમાન કલહકારી
ભાઈ છે તો કોઈને પુત્રી દુરાચરણી છે.
कस्स वि मरदि सुपुत्तो कस्स वि महिला विणस्सदे इट्ठा
कस्स वि अग्गिपलित्तं गिहं कुडंबं च डज्झेइ ।।५४।।
कस्य अपि म्रियते सुपुत्रः कस्य अपि महिला विनश्यति इष्टा
कस्य अपि अग्निप्रलिप्तं गृहं कुटुंबं च दह्यते ।।५४।।
અર્થઃકોઈને તો સારો પુત્ર હોય તે મરી જાય છે, કોઈને
ઇષ્ટ સ્ત્રી હોય તે મરી જાય છે તો કોઈને ઘર-કુટુંબ સઘળું અગ્નિ વડે
બળી જાય છે.
एवं मणुयगदीए णाणादुक्खाइं विसहमाणो वि
ण वि धम्मे कुणदि मइं आरंभं णेय परिचयइ ।।५५।।
एवं मनुजगत्यां नानादुःखानि विषहमाणः अपि
न अपि धर्मे करोति मतिं आरम्भं नैव परित्यजति ।।५५।।
અર્થઃઉપર પ્રમાણે મનુષ્યગતિમાં નાના પ્રકારનાં દુઃખોને
સહવા છતાં પણ આ જીવ સદ્ધર્મમાં બુદ્ધિ કરતો નથી અને પાપારંભને
છોડતો નથી.
सधणो वि होदि णिधणो धणहीणो तह य ईसरो होदि
राया वि होदि भिच्चो भिच्चो वि य होदि णरणाहो ।।५६।।
सधनः अपि भवति निर्धनः धनहीनः तथा च ईश्वरः भवति
राजा अपि भवति भृत्यः भृत्यः अपि च भवति नरनाथः ।।५६।।
અર્થઃધનવાન હોય તે નિર્ધન થઈ જાય છે, એ જ પ્રમાણે
નિર્ધન હોય તે ઇશ્વર થઈ જાય છે. વળી રાજા હોય તે કિંકર થઈ
૨૮ ]
[ સ્વામિકાર્ત્તિકેયાનુપ્રેક્ષા