Swami Kartikeyanupreksha (Gujarati). Gatha: 57-59.

< Previous Page   Next Page >


Page 29 of 297
PDF/HTML Page 53 of 321

 

સંસારાનુપ્રેક્ષા ]

[ ૨૯

જાય છે. અને કિંકર હોય તે રાજા થઈ જાય છે.

सत्तू वि होदि मित्तो मित्तो वि य जायदे तहा सत्तू
कम्मविवागवसादो एसो संसारसब्भावो ।।५७।।
शत्रुः अपि भवति मित्रं मित्रं अपि च जायते तथा शत्रुः
कमरविपाकवशात् एषः संसारस्वभावः ।।५७।।

અર્થઃકર્મોદયવશે વૈરી હોય તે તો મિત્ર થઈ જાય છે તથા મિત્ર હોય તે વૈરી થઈ જાય છે. એવો જ સંસારનો સ્વભાવ છે.

ભાવાર્થઃપુણ્યકર્મના ઉદયથી વૈરી પણ મિત્ર થઈ જાય છે તથા પાપકર્મના ઉદયથી મિત્ર પણ શત્રુ થઈ જાય છે.

હવે ચાર ગાથામાં દેવગતિનાં દુઃખોનું સ્વરૂપ કહે છેઃ

દેવગતિનાં દુઃખો
अह कह वि हवदि देवो तस्स वि जाएदि माणसं दुक्खं
दट्ठूण महड्ढीणं देवाणं रिद्धिसम्पत्ती ।।५८।।
अथ कथमपि भवति देवः तस्य अपि जायते मानसं दुःखम्
दृष्टवा महर्द्धीनां देवानां ऋद्धिसम्प्रप्तिम् ।।५८।।

અર્થઃઅથવા (કદચિત્) મહાન કષ્ટથી દેવપર્યાય પણ પામે ત્યાં તેને પણ મહાન ૠદ્ધિધારક દેવોની ૠદ્ધિસંપદા જોઈને માનસિક દુઃખ ઉત્પન્ન થાય છે.

इट्ठविओगे दुक्खं होदि महड्ढीण विसयतण्हादो
विसयवसादो सुक्खं जेसिं तेसिं कुदो तित्ती ।।५९।।
इष्टवियोगे दुःख भवति महर्द्धीनां विषयतृष्णातः
विषयवशात् सुखं येषां तेषां कुतः तृप्तिः ।।५९।।

અર્થઃમહર્દ્ધિકદેવોને પણ ઇષ્ટ ૠદ્ધિ અને દેવાંગનદિનો વિયોગ થતાં દુઃખ થાય છે. જેમને વિષયાધીન સુખ છે તેમને તૃપ્તિ ક્યાંથી થાય? તૃષ્ણા વધતી જ રહે છે.