હવે શારીરિક દુઃખથી માનસિક દુઃખ મોટું છે — એમ કહે છેઃ —
सारीरियदुक्खादो माणसदुक्खं हवेइ अइपउरं ।
माणसदुक्खजुदस्स हि विसया वि दुहावहा हुंति ।।६०।।
शारीरिकदुःखतः मानसदुःखं भवति अतिप्रचुरम् ।
मानसदुःखयुतस्य हि विषयाः अपि दुःखावहाः भवन्ति ।।६०।।
અર્થઃ — કોઈ સમજે કે શરીરસંબંધી દુઃખ મોટું છે અને
માનસિક દુઃખ અલ્પ છે. તેને અહીં કહે છે કે શારીરિક દુઃખથી
માનસિક દુઃખ ઘણું તીવ્ર છે – મોટું છે; જુઓ, માનસિક દુઃખ સહિત
પુરુષને અન્ય ઘણા વિષયો હોય તોપણ તેઓ દુઃખદાયક ભાસે છે.
ભાવાર્થઃ — મનમાં ચિંતા થાય ત્યારે સર્વ સામગ્રી દુઃખરૂપ જ
ભાસે છે.
देवाणं पि य सुक्खं मणहरविसएहिं कीरदे जदि ही ।
विसयवसं जं सुक्खं दुक्खस्स वि कारणं तं पि ।।६१।।
देवानां अपि च सुखं मनोहरविषयैः क्रियते यदि हि ।
विषयवशं यत्सुखं दुखस्य अपि कारणं तत् अपि ।।६१।।
અર્થઃ — દેવોને મનોહર વિષયોથી જો સુખ છે એમ વિચારવામાં
આવે તો તે પ્રગટપણે સુખ નથી. જે વિષયોને આધીન સુખ છે તે
દુઃખનું જ કારણ છે (દુઃખ જ છે).
ભાવાર્થઃ — અન્ય નિમિત્તથી સુખ માનવામાં આવે તે ભ્રમ છે,
કારણ કે જે વસ્તુ સુખના કારણરૂપ માનવામાં આવે છે તે જ વસ્તુ
કાળાન્તરમાં દુઃખના જ કારણરૂપ થાય છે.
એ પ્રમાણે વિચાર કરતાં સંસારમાં કોઈ ઠેકાણે પણ સુખ નથી
એમ કહે છેઃ —
एवं सुट्ठु असारे संसारे दुक्खसायरे घोरे ।
किं कत्थ वि अत्थि सुहं वियारमाणं सुणिच्छयदो ।।६२।।
૩૦ ]
[ સ્વામિકાર્ત્તિકેયાનુપ્રેક્ષા