Swami Kartikeyanupreksha (Gujarati). Gatha: 60-62.

< Previous Page   Next Page >


Page 30 of 297
PDF/HTML Page 54 of 321

 

background image
હવે શારીરિક દુઃખથી માનસિક દુઃખ મોટું છેએમ કહે છેઃ
सारीरियदुक्खादो माणसदुक्खं हवेइ अइपउरं
माणसदुक्खजुदस्स हि विसया वि दुहावहा हुंति ।।६०।।
शारीरिकदुःखतः मानसदुःखं भवति अतिप्रचुरम्
मानसदुःखयुतस्य हि विषयाः अपि दुःखावहाः भवन्ति ।।६०।।
અર્થઃકોઈ સમજે કે શરીરસંબંધી દુઃખ મોટું છે અને
માનસિક દુઃખ અલ્પ છે. તેને અહીં કહે છે કે શારીરિક દુઃખથી
માનસિક દુઃખ ઘણું તીવ્ર છે
મોટું છે; જુઓ, માનસિક દુઃખ સહિત
પુરુષને અન્ય ઘણા વિષયો હોય તોપણ તેઓ દુઃખદાયક ભાસે છે.
ભાવાર્થઃમનમાં ચિંતા થાય ત્યારે સર્વ સામગ્રી દુઃખરૂપ જ
ભાસે છે.
देवाणं पि य सुक्खं मणहरविसएहिं कीरदे जदि ही
विसयवसं जं सुक्खं दुक्खस्स वि कारणं तं पि ।।६१।।
देवानां अपि च सुखं मनोहरविषयैः क्रियते यदि हि
विषयवशं यत्सुखं दुखस्य अपि कारणं तत् अपि ।।६१।।
અર્થઃદેવોને મનોહર વિષયોથી જો સુખ છે એમ વિચારવામાં
આવે તો તે પ્રગટપણે સુખ નથી. જે વિષયોને આધીન સુખ છે તે
દુઃખનું જ કારણ છે (દુઃખ જ છે).
ભાવાર્થઃઅન્ય નિમિત્તથી સુખ માનવામાં આવે તે ભ્રમ છે,
કારણ કે જે વસ્તુ સુખના કારણરૂપ માનવામાં આવે છે તે જ વસ્તુ
કાળાન્તરમાં દુઃખના જ કારણરૂપ થાય છે.
એ પ્રમાણે વિચાર કરતાં સંસારમાં કોઈ ઠેકાણે પણ સુખ નથી
એમ કહે છેઃ
एवं सुट्ठु असारे संसारे दुक्खसायरे घोरे
किं कत्थ वि अत्थि सुहं वियारमाणं सुणिच्छयदो ।।६२।।
૩૦ ]
[ સ્વામિકાર્ત્તિકેયાનુપ્રેક્ષા