एवं सुष्ठु असारे संसारे दुःखसागरे घोरे ।
किं कुत्र अपि अस्ति सुखं विचार्यमाणं सुनिश्चयतः ।।६२।।
અર્થઃ — એ પ્રમાણે સર્વ પ્રકારે અસાર એવા આ દુઃખસાગરરૂપ
ભયાનક સંસારમાં નિશ્ચયથી વિચાર કરવામાં આવે તો શું કોઈ ઠેકાણે
કિંચિત્ પણ સુખ છે? અપિતુ નથી જ.
ભાવાર્થઃ — ચારગતિરૂપ સંસાર છે. અને ચારે ગતિઓ દુઃખરૂપ
જ છે, તો તેમાં સુખ ક્યાં સમજવું?
હવે કહે છે કે આ જીવ પર્યાયબુદ્ધિવાળો છે. તેથી તે જે યોનિમાં
ઊપજે છે ત્યાં જ સુખ માની લે છેઃ —
दुक्कियकम्मवसादो राया वि य असुइकीड़ओ होदि ।
तत्थेव य कुणइ रइं पेक्खह मोहस्स माहप्पं ।।६३।।
दुष्कृतकर्मवशात् राजा अपि च अशुचिकीटकः भवति ।
तत्र एव च करोति रतिं प्रेक्षध्वं मोहस्य माहात्म्यम् ।।६३।।
અર્થઃ — હે પ્રાણી! તમે જુઓ તો ખરા આ મોહનું માહાત્મ્ય!
કે પાપવશ મોટો રાજા પણ મરીને વિષ્ટાના કીડામાં જઈ ઉત્પન્ન થાય
છે અને ત્યાં જ તે રતિ માને છે – ક્રીડા કરે છે.
હવે કહે છે કે — આ પ્રાણીનો એક જ ભવમાં અનેક સંબંધ થાય
છે.
पुत्तो वि भाउ जाओ सो वि य भाओ वि देवरो होदि ।
माया होदि सवत्ती जणणो वि य होदि भत्तारो ।।६४।।
एयम्मि भवे एदे संबंधा होंति एय-जीवस्स ।
अण्णभवे किं भण्णइ जीवाणं धम्मरहिदाणं ।।६५।। युगलम् ।
पुत्रः अपि भ्राता जातः सः अपि च भ्राता अपि देवरः भवति ।
माता भवति सपत्नी जनकः अपि च भवति भर्ता ।।६४।।
સંસારાનુપ્રેક્ષા ]
[ ૩૧