Swami Kartikeyanupreksha (Gujarati). Gatha: 63-65.

< Previous Page   Next Page >


Page 31 of 297
PDF/HTML Page 55 of 321

 

સંસારાનુપ્રેક્ષા ]

[ ૩૧
एवं सुष्ठु असारे संसारे दुःखसागरे घोरे
किं कुत्र अपि अस्ति सुखं विचार्यमाणं सुनिश्चयतः ।।६२।।

અર્થઃએ પ્રમાણે સર્વ પ્રકારે અસાર એવા આ દુઃખસાગરરૂપ ભયાનક સંસારમાં નિશ્ચયથી વિચાર કરવામાં આવે તો શું કોઈ ઠેકાણે કિંચિત્ પણ સુખ છે? અપિતુ નથી જ.

ભાવાર્થઃચારગતિરૂપ સંસાર છે. અને ચારે ગતિઓ દુઃખરૂપ જ છે, તો તેમાં સુખ ક્યાં સમજવું?

હવે કહે છે કે આ જીવ પર્યાયબુદ્ધિવાળો છે. તેથી તે જે યોનિમાં ઊપજે છે ત્યાં જ સુખ માની લે છેઃ

दुक्कियकम्मवसादो राया वि य असुइकीड़ओ होदि
तत्थेव य कुणइ रइं पेक्खह मोहस्स माहप्पं ।।६३।।
दुष्कृतकर्मवशात् राजा अपि च अशुचिकीटकः भवति
तत्र एव च करोति रतिं प्रेक्षध्वं मोहस्य माहात्म्यम् ।।६३।।

અર્થઃહે પ્રાણી! તમે જુઓ તો ખરા આ મોહનું માહાત્મ્ય! કે પાપવશ મોટો રાજા પણ મરીને વિષ્ટાના કીડામાં જઈ ઉત્પન્ન થાય છે અને ત્યાં જ તે રતિ માને છેક્રીડા કરે છે.

હવે કહે છે કેઆ પ્રાણીનો એક જ ભવમાં અનેક સંબંધ થાય છે.

पुत्तो वि भाउ जाओ सो वि य भाओ वि देवरो होदि
माया होदि सवत्ती जणणो वि य होदि भत्तारो ।।६४।।
एयम्मि भवे एदे संबंधा होंति एय-जीवस्स
अण्णभवे किं भण्णइ जीवाणं धम्मरहिदाणं ।।६५।। युगलम्
पुत्रः अपि भ्राता जातः सः अपि च भ्राता अपि देवरः भवति
माता भवति सपत्नी जनकः अपि च भवति भर्ता ।।६४।।