છે? તે કહીએ છીએઃ
વસંતતિલકા વેશ્યા, ધનદેવ, કમળા અને વરુણને (પરસ્પર) થયા. તેમની
કથા અન્ય ગ્રંથોથી અહીં લખીએ છીએઃ
તે શેઠ એક વસંતતિલકા નામની વેશ્યામાં આસક્ત થયો અને તેને
પોતાના ઘરમાં રાખી. તે ગર્ભવતી થઈ ત્યારે રોગ સહિત દેહ થવાથી
તેને પોતાના ઘરમાંથી કાઢી મૂકી. તે વસંતતિલકાએ પોતાના ઘરમાં જ
પુત્ર-પુત્રીના જોડકાને જન્મ આપ્યો. તે વેશ્યા ખેદખિન્ન થઈને એ બન્ને
બાળકોને જુદા જુદા રત્નકાંબળમાં લપેટી પુત્રીને તો દક્ષિણ દરવાજે
નાખી આવી
વણજારાએ તેને (પુત્રને) ઉપાડી પોતાની સ્ત્રી સુવ્રતાને સોંપ્યો અને તેનું
ધનદેવ નામ રાખ્યું. હવે પૂર્વોપાર્જિત કર્મવશ તે ધનદેવનો પેલી
કમળાની સાથે વિવાહ થયો અને એ બંને (ભાઈ-બહેન) પતિ-પત્ની
થયાં. પછી આ ધનદેવ વ્યાપાર અર્થે ઉજ્જયિની નગરીમાં ગયો. ત્યાં
તે પેલી વસંતતિલકા વેશ્યામાં લુબ્ધ થયો અને તેના સંયોગથી
વસંતતિલકાને એક પુત્ર જન્મ્યો. તેનું નામ વરુણ રાખ્યું. હવે એક
દિવસ કમળાએ કોઈ મુનિને પોતાનો સંબંધ પૂછ્યો અને મુનિએ તેનું
સર્વ વૃતાંત કહ્યું, તે નીચે પ્રમાણે છેઃ