સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ દ્વારા પ્રકાશિત કરતાં અતિ પ્રસન્નતા
અનુભવીએ છીએ. ગુજરાતી ભાષાનુવાદ યુક્ત આ ગ્રંથનું પ્રથમ સંસ્કરણ
‘શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાનપ્રચારક ટ્રસ્ટ’
કરવામાં આવ્યું છે.
વૈરાગ્યનો અનુપમ બોધ આપનાર ઉચ્ચ કોટિનું એક મહાન શાસ્ત્ર છે.
પ્રાકૃતભાષામાં રચાયેલ આ પવિત્ર શાસ્ત્રમાં, વૈરાગ્યજનની અધ્રુવાદિ બાર
ભાવનાના અતિ ભાવવાહી તેમજ રહસ્યગંભીર વર્ણનની સાથે સાથે,
પ્રકરણના પ્રસંગ અનુસાર, વીતરાગ જૈનદર્શનનું પ્રયોજનભૂત તત્ત્વજ્ઞાન પણ
અતિ સુંદર રીતે નિરૂપવામાં આવ્યું છે. ‘અનુપ્રેક્ષા’ના આ ભાવવાહી મહાન
ગ્રંથ ઉપર, અધ્યાત્મરસાનુભવી બાળબ્રહ્મચારી સન્માર્ગપ્રકાશક પરમપૂજ્ય
સદ્ગુરુદેવ શ્રી કાનજીસ્વામીએ અધ્યાત્મરસભરપૂર સુંદર પ્રવચનો આપ્યાં
છે. પૂજ્ય ગુરુદેવે ‘સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા’નાં પ્રવચનોમાં જે અર્થગંભીર તેમ
જ જ્ઞાન-વૈરાગ્યપ્રેરક અદ્ભુત રહસ્યો ખોલ્યાં છે તેમનાથી અનેક મુમુક્ષુહૃદયો
પ્રભાવિત થયાં છે; અને તેથી કેટલાક મુમુક્ષુ મહાનુભાવોની, ઘણા વખતથી
અપ્રાપ્ય એવા આ મહાન ગ્રંથનું નવું સંસ્કરણ છપાવવાની માગણી હતી.
પ્રશમમૂર્તિ પૂજ્ય બહેનશ્રી ચંપાબેનની, અધ્યાત્મ સાધના તેમ જ દેવ-ગુરુ-
ભક્તિભીની મંગળ છાયાતળે પૂર્વવત્ જે અનેકવિધ ધાર્મિક ગતિવિધિ ચાલે
છે તેના એક અંગરૂપ સત્સાહિત્ય પ્રકાશનવિભાગ દ્વારા જે આર્ષપ્રણીત મૂળ