શાસ્ત્રો તથા પ્રવચન ગ્રંથો વગેરે પ્રકાશિત કરવામાં આવે છે તે પૈકીનું આ
એક નૂતન પ્રકાશન છે.
આ ગ્રંથનું સુંદર મુદ્રણ કરી આપવા બદલ ‘કહાન મુદ્રણાલય’ના
માલિક શ્રી જ્ઞાનચંદજી જૈનનો આભાર માનીએ છીએ.
તત્ત્વજ્ઞાન તેમજ વૈરાગ્યરસથી ભરપૂર આ પવિત્ર ગ્રંથનું આત્માર્થના
લક્ષે ઊંડું અવગાહન કરીને મુમુક્ષુ જીવો જ્ઞાનવૈરાગ્યરસભીની ભગવતી
સાધના પ્રાપ્ત કરો! – એ જ, પ્રકાશનના શુભાવસરે મંગળ ભાવના.
દીપાવલી-પર્વ, વિ. સં. ૨૦૪૩
(મહાવીર-નિર્વાણ દિન)
❁
તૃતીયાવૃત્તિનું પ્રકાશકીય નિવેદન
પ્રથમાવૃત્તિ અને દ્વિતીયાવૃત્તિ અતિ અલ્પ સમયમાં વેચાણ થઈ જતાં,
આપણા પરમ તારણહાર પૂ. સદ્ગુરુદેવશ્રી કાનજીસ્વામીના અતિશય
પ્રભાવના ઉદયે અને પૂ. ભગવતીમાતા ચંપાબેનની પવિત્ર છત્રછાયાના
પ્રભાવે આત્માર્થી જીવોમાં જાગૃત થયેલ આત્માર્થતાને લીધે આ વૈરાગ્યવર્ધક
અને આત્માર્થપોષક શાસ્ત્રની વધુ માંગ થતાં આ શાસ્ત્ર ફરીથી પ્રથમાવૃત્તિ
પ્રમાણે જ છાપવામાં આવે છે.
શ્રુતપંચમી પર્વ
વીર. નિ.સં. ૨૫૩૩
❁
સાહિત્ય પ્રકાશનસમિતિ
શ્રી દિ. જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ,
સોનગઢ–364250
સાહિત્ય પ્રકાશનસમિતિ
શ્રી દિ. જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ
સોનગઢ–364250
[ ૫ ]