Swami Kartikeyanupreksha (Gujarati). Upodghat.

< Previous Page   Next Page >


PDF/HTML Page 8 of 321

 

background image
ઉપોદ્ઘાત
‘દ્વાદશ અનુપ્રેક્ષા’ અર્થાત્ ‘બાર ભાવના’ વીતરાગ જૈનધર્મમાં આધ્યાત્મિક
સાધનાનું એક મહત્ત્વપૂર્ણ ઉત્તમ અંગ છે. જિનાગમમાં તેનો, ‘स
गुप्तिसमितिधर्मानुप्रेक्षापरीषहजयचारित्रैः ।’એ રીતે, સંવરના ઉપાયમાં અંતર્ભાવ
કરવામાં આવ્યો છે. તેની એક મહત્ત્વપૂર્ણ વિશેષતા એ છે કેઅઢી દ્વીપની,
પાંચ ભરત, પાંચ ઐરાવત અને પાંચ વિદેહએ પંદરેય કર્મભૂમિમાં થનારા
ત્રણે કાળના સર્વ તીર્થંકરો, ગૃહસ્થદશામાં નિરપવાદ નિયમથી, આ ‘બાર
ભાવના’ના ચિંતવનપૂર્વક જ વૈરાગ્યની સાતિશય વૃદ્ધિ પામીને, લૌકાંતિક દેવો
દ્વારા નિયોગજનિત અનુમોદના થતાં, સ્વયં દીક્ષિત થાય છે.
અનુપ્રેક્ષા એટલે ભાવના, ચિંતવન, મનોગત અભ્યાસ, પરિશીલન,
વૈરાગ્યભાવના, સંસાર, શરીર તેમ જ ભોગ વગેરેના અનિત્ય, અશરણ,
અશુચિ આદિ સ્વભાવનું
અંતરમાં નિત્ય, શરણ અને પરમ શુચિસ્વરૂપ નિજ
ત્રિકાળશુદ્ધ જ્ઞાયક આત્માના લક્ષ તેમ જ સાધના સહિતસંવેગ તેમ જ વૈરાગ્ય
અર્થે ફરી ફરી ચિંતવન કરવું તે અનુપ્રેક્ષા છે. (૧) અનિત્ય-અનુપ્રેક્ષા, (૨)
અશરણ-અનુપ્રેક્ષા, (૩) સંસાર-અનુપ્રેક્ષા, (૪) એકત્વ-અનુપ્રેક્ષા, (૫) અન્યત્વ-
અનુપ્રેક્ષા, (૬) અશુચિત્વ-અનુપ્રેક્ષા, (૭) આસ્રવ-અનુપ્રેક્ષા, (૮) સંવર-
અનુપ્રેક્ષા, (૯) નિર્જરા-અનુપ્રેક્ષા, (૧૦) લોક-અનુપ્રેક્ષા, (૧૧) બોધિદુર્લભ-
અનુપ્રેક્ષા, અને ધર્મ-અનુપ્રેક્ષા
એ પ્રમાણે અનુપ્રેક્ષાના બાર ભેદ છે. આ
બારેયના સ્વરૂપનું, ભવદુઃખશામક જ્ઞાનવૈરાગ્યની વૃદ્ધિ અર્થે, વારંવાર
અનુચિંતન અવશ્ય કર્તવ્ય છે.
‘અનુપ્રેક્ષા’ વિષે પ્રાચીન આચાર્યોએ તેમ જ મધ્યકાલીન વિદ્વાનોએ પણ
ઘણું લખ્યું છે. વીતરાગ દિગંબર સંતો, ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવે તેમ જ
મુનિવર શ્રી કાર્તિકેયસ્વામીએ (અપરનામ ‘સ્વામી કુમારે’) તો આ વિષય ઉપર
સ્વતંત્ર ગ્રંથો લખ્યા છે. શ્રી કુંદકુંદાચાર્યદેવની કૃતિ ‘બારસ-અણુવેક્ખા’ અને
શ્રી કાર્તિકેય મુનિવરની કૃતિ ‘સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા’ નામથી પ્રસિદ્ધ છે. તે બંને
અનુપ્રેક્ષા-ગ્રંથોની અનેક આવૃત્તિઓ મુદ્રિત થઈને પ્રકાશિત થઈ ગઈ છે.
[ ૬]