Swami Kartikeyanupreksha (Gujarati). Gatha: 72-73.

< Previous Page   Next Page >


Page 41 of 297
PDF/HTML Page 65 of 321

 

background image
એક ભાવપરાવર્તન થાય. એવાં અનંત ભાવપરાવર્તન આ જીવ ભોગવતો
આવ્યો છે.
હવે એ પાંચ પરાવર્તનના કથનને સંકોચે છેઃ
एवं अणाइकालं पंचपयारे भमेइ संसारे
णाणादुक्खणिहाणे जीवो मिच्छत्तदोसेण ।।७२।।
एवं अनादिकालं पञ्चप्रकारे भ्रमति संसारे
नानादुःखनिधाने जीवः मिथ्यात्वदोषेण ।।७२।।
અર્થઃએ પ્રમાણે પંચપરાવર્તનરૂપ સંસારમાં આ જીવ
અનાદિકાળથી મિથ્યાત્વદોષ વડે ભમે છે. કેવો છે સંસાર? અનેક
પ્રકારનાં દુઃખોનું નિધાન (ખજાનો) છે.
હવે એવા સંસારથી છૂટવાનો ઉપદેશ કરે છેઃ
इय संसारं जाणिय मोहं सव्वायरेण चइऊणं
तं झायह ससहावं संसरणं जेण णासेइ ।।७३।।
इति संसारं ज्ञात्वा मोहं सर्वादरेण त्यक्त्वा
तं ध्यायत स्वस्वभावं संसरणं येन नश्यति ।।७३।।
અર્થઃઉપર કહ્યા પ્રમાણે આ સંસારને જાણી, સર્વ પ્રકારે
ઉદ્યમ કરી, મોહને છોડી હે ભવ્યાત્મા! તું એ આત્મસ્વભાવનું ધ્યાન
કર કે જેથી સંસારપરિભ્રમણનો નાશ થાય.
(દોહરા)
પંચપરાવર્તનમયી, દુઃખરૂપ સંસાર;
મિથ્યાકર્મ ઉદય થકી, ભરમે જીવ અપાર.
ઇતિ સંસારાનુપ્રેક્ષા સમાપ્ત.
સંસારાનુપ્રેક્ષા ]
[ ૪૧
q