Tattvagyan Tarangini (Gujarati).

< Previous Page   Next Page >


Page 152 of 153
PDF/HTML Page 160 of 161

 

background image
૧૫૨ ][ તત્ત્વજ્ઞાન-તરંગિણી
क्रीडंति ये प्रविश्येनां तत्त्वज्ञानतरंगिणीं
ते स्वर्गादिसुखं प्राप्य सिद्धयंति तदनंतरं ।।२२।।
તત્ત્વજ્ઞાન તરંગિણીમાં જે પ્રવેશી ત્યાં રમે,
સ્વર્ગાદિ સુખને પામીને સિદ્ધિ વરે તે અનુક્રમે. ૨૨.
અર્થ :જેઓ આ તત્ત્વજ્ઞાનરૂપ નદીમાં પ્રવેશીને ક્રીડા કરે છે,
તેઓ સ્વર્ગાદિ સુખ પામીને પછી સિદ્ધ થાય છે. ૨૨.
यदैव विक्रमातीताः शतपंचदशाधिकाः
षष्टिः संवत्सरा जातास्तदेयं निर्मिता कृतिः ।।२३।।
જ્યાં વર્ષ પંદરસો અને વળી સાL વિક્રમનાં વિત્યાં,
શ્રી જ્ઞાનભૂષણ કવિવરે રચી આ કૃતિ અતિ સુખદ ત્યાં. ૨૩.
અર્થ :જ્યારે વિક્રમ સંવતનાં પંદરસો સાઠ વર્ષો વીતી ગયાં,
ત્યારે આ કૃતિ રચાઈ છે. ૨૩.
ग्रंथसंख्यात्र विज्ञेया लेखकैः पाठकैः किल
षट्त्रिंशदधिका पंचशती श्रोतृजनैरपि ।।२४।।
લેખક પાLક શ્રોતૃજન, લહે સ્વરુપ સંભાળ;
જાણી સંખ્યા પાંચસો, છત્રીસ શ્લોક રસાળ. ૨૪.
અર્થ :આ ગ્રંથના લેખક, પાઠકોએ અને શ્રોતાઓએ આ
ગ્રંથની શ્લોક સંખ્યા પાંચસો છત્રીસ જાણવી.