Tattvagyan Tarangini (Gujarati). Adhyay-3 : Shuddh Chidrupni Praptina Upay.

< Previous Page   Next Page >


Page 22 of 153
PDF/HTML Page 30 of 161

 

background image
અધયાય ત્રીજો
[ શુદ્ધ ચિદ્રૂપની પ્રાપ્તિના ઉપાય ]
जिनेशस्य स्नानात् स्तुतियजनजपान्मंदिरार्चाविधाना-
च्चतुर्धा दानाद्वाध्ययनखजयतो ध्यानतः संयमाच्च
व्रताच्छीलात्तीर्थादिकगमनविधेः क्षांतिमुख्यप्रधर्मात्
क्रमाच्चिद्रूपाप्तिर्भवति जगति ये वांछकास्तस्य तेषां
।।।।
(વસંતતિલકા)
ભાવે જિનેન્દ્ર જય સ્નાત્ર સ્તુતિ પૂજાને,
મંદિરઅર્ચનવિધાાન સુપાત્ર દાને;
શાસ્ત્રાદિ, અધયયન, સંયમ, શીલ, ધયાને,
અત્યંત આદર કરે ભવિ તીર્થસ્થાને;
£ન્દ્રિયનો વિજયને વ્રતવર્તનાથી,
ક્ષાંતિ પ્રમુખ દશ ધાર્મ સુસાધાનાથી;
ચિદ્રૂપ પ્રાપ્તિ જગમાં જીવ વાંછતા જે,
સેવી ઉપાય ક્રમથી પદ પામતા તે. ૧.
અર્થ :જિનેન્દ્ર ભગવાનનો અભિષેક કરવાથી, સ્તુતિ, પૂજા,
જપ કરવાથી, મંદિરપૂજાના વિધાનથી, ચાર પ્રકારના દાનથી અથવા
શાસ્ત્રઅભ્યાસ અને ઇન્દ્રિયના જયથી, ધ્યાનથી અને સંયમથી, વ્રતથી,
શીલથી, તીર્થગમન આદિ વિધિથી, ક્ષમા આદિ ઉત્તમ ધર્મોથી ક્રમે કરીને
ચિદ્રૂપની પ્રાપ્તિ, જગતમાં જેઓ તેના વાંછક છે; તેમને થાય છે. ૧.
देवं श्रुतं गुरुं तीर्थं भदंतं च तदाकृतिं
शुद्धचिद्रूपसद्ध्यानहेतुत्वाद् भजते सुधीः ।।।।